________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ રહેલા ઋષભાદિ બે જિનેશ્વરમહારાજાને, એવી રીતે સર્વ મલી ચોવીશ જિનેશ્વરમહારાજને શ્રી અષ્ટાપદ તીર્થને વિષે વંદન કર્યું એ દસમો અર્થ.
૧૧. ચત્તારિ કહેતાં ચાર અઠ્ઠદસ કહેતાં ૧૮ અઢાર ને ગુણવાથી ૭ર બોતેર થાય, તે ભરત ક્ષેત્રને વિષે અતીત, અનાગત, વર્તમાન કાળના ત્રણે ચોવીશીના બોતેર જિનેશ્વરમહારાજાઓને વંદન કર્યું, એ અગ્યારમો અર્થ.
૧૨. ચઉવ્વીસ ચઉ કહેતા ચાર અને વીસ કહેતા ૨૦ વશ, તે ૨૦ ને ૪ ચારે ગુણવાથી ૮૦ એંશી થાય, તેટલા તીર્થંકર મહારાજાઓ મેરૂ પર્વત સંબંધી, અગર ૧૦ દસ, દસ કુરૂક્ષેત્ર સંબંધી, તથા દસ ગજદેતા સંબંધી એ પ્રકારે કુલ ૨૦ વશ થયા, તે સર્વે જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ બારમો અર્થ.
૧૩. વીસદસ એટલે વીશ અને દસ એટલે દસ કુલ ૩૦ ત્રીશ થયા, તે કુલપર્વતને વિષે જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ તેરમો અર્થ.
૧૪. ચારિ એટલે ઇષકાર, માનુષોત્તર, કુંડલ અને રૂચક એ ચારને વિષે, ચાર ચૈત્યોને વિષે રહેલા જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું અથવા ચાર શાશ્વત ચૈત્યોને વિષે ઋષભ, ચંદ્રાનન, વર્ધમાન અને વારિષણ એ શાશ્વત જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ ચૌદમો અર્થ.
૧૫. એ પ્રકારે ચત્તારિ અઠ્ઠ દસ દોઅવંદિઆ પદોના જુદા જુદા અર્થોસંપૂર્ણ થયા, જે જે ઉત્તમ જીવો એ પ્રકારના અર્થોને ચિંતવી, જિનેશ્વર મહારાજને વંદના નમસ્કારકરે છે, તે સ્વલ્પ કાળને વિષે કલ્યાણમંગલની માળાને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે.
૧૩૧
૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org