________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૭. ચત્તારિ કહેતાં ચાર અને અઠ્ઠ કહેતાં આઠ, એ બન્નેને મેળવવાથી બાર થયા, તેને દસ કહેતાં ૧૦ ગુણવાથી, ૧૨૦ એકસો વીશ થાય, તેને દોઅ કહેતા બેએ ગુણવાથી બસો ને ચાલીશ થાય, એ પાંચ ભરત તથા પાંચ ઐરવત ક્ષેત્રને વિષે દસ ચોવીશીમાં દસ ક્ષેત્રને વિષે થયેલા ૨૪૦ જિનેશ્વરમહારાજાઓને વંદન કર્યું, એ સાતમો અર્થ.
૮. ચત્તારિ કહેતાં ચારગુણા કરવાથી ૧૬ સોળ થાય,તથા અટ્ટ કહેતાં ૮ ને આઠગુણા કરવાથી ચોસઠ થાય,તથા દસ કહેતાં દસને ૧૦ગુણા કરવાથી ૧૦૦ થાય, એવી રીતે ૧૬૬૪+૧૦૦ મેળવવાથી એકસોને એંશી થાય, એવી રીતે દેવલોકને વિષે રહેલ પ્રત્યેક પ્રાસાદોને વિષે ૧૮૦ શાશ્વતી પ્રતિમાજીને વંદન કર્યું, એ આઠમો અર્થ.
૯. ચત્તારિ કહેતા ચાર એટલે ઉર્ધ્વલોક અનુત્તર વિમાને, તથા રૈવેયકે તથા વિમાનવાસી અને જયોતિષ એ ચાર સ્થાનો ઉદ્ઘલોકના છે, તેને, તથા અટ્ટ કહેતાં આઠ વ્યંતરની નિકાયને વિષે તથા દસ કહેતા ૧૦ ભુવનપતિની નિકાયને વિષે એમ અધોલોકના, તથા તિચ્છલોકે એટલે મનુષ્ય લોકને વિષે, શાશ્વતી પ્રતિમા, તથા અશાશ્વતી પ્રતિમા, એમ બે પ્રકારે એ ત્રણે લોકને વિષે રહેલા જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ નવમો અર્થ.
૧૦. ચત્તારિ કહેતાં ચાર, અઠ્ઠ કહેતાં આઠ, દસ કહેતાં દસ દો. કહેતાં બે, એ અષ્ટાપદ પર્વતને વિષે દક્ષિણ દિશાને વિષે રહેલા સંભવનાથાદિ ચાર જિનેશ્વર મહારાજાને, તથા પશ્ચિમ દિશાને વિષે રહેલા સુપાર્શ્વનાથાદિ આઠ જિનેશ્વરમહારાજાને, તથા ઉત્તર દિશાને વિષે રહેલા ધર્મનાથાદિ દસ જિનેશ્વરમહારાજાને, તથા પૂર્વ દિશાને વિષે
૧30
૧૩૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org