________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ને સાઠ થાય, તે પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે, પ્રત્યેક પ્રત્યેકે ૩૨ જિનેશ્વર મહારાજા વિચરતા હોવાથી ઉત્કૃષ્ટકાળે વિચરતા ૧૬૦ વિહરમાન જિનેશ્વર મહારાજને વંદન કર્યું, એ ત્રીજો અર્થ.
૪. ચત્તારિ અઠ્ઠ દસ દોઅ ચઉવ્વીસ અઠ્ઠ દસ કહેતાં ૧૮ ને ચત્તારિ કહેતા ચારે ગુણવાથી ૭૨ બોંતેર થાય, અને ચઉવ્વીસ કહેતા ૨૪ ને ચત્તારિ કહેતાં ૪ ગુણા કરવાથી ૯૬ થાય, તથા દોઅ કહેતાં બે એ સર્વેને એકત્ર કરવાથી ૧૭૦ જિનેશ્વર મહારાજા વિચરતા હોવાથી ૧૭૦ જિનેશ્વર મહારાજને વંદન કર્યું. ૩૨ વિજયના ૧૬૦, થાય તેમને વંદન કર્યું, તથા ઉપરોક્ત ૭૨ બોતેર ત્રણ કાળની ત્રણ ચોવીશીને વિષે થએલા ભરતાદિક ક્ષેત્રને વિષે બોત્તેર જિનેશ્વર મહારાજને વંદન કર્યું, એ ચોથો અર્થ.
૫. ચત્તારિ અગર અઢીદ્વીપને વિષે રહેલા પાંચ મહાવિદેહને વિષે સ્થિત એક સો સાઠ વિજયને વિષે એક એક ગણતાં ૧૬૦ થાય, કારણ કે તે દરેકને વિષે એક એક વૈતાઢ્ય પર્વત છે, તેથી ૧૬૦ વૈતાઢ્ય પર્વતો થાય, તથા ૫ પાંચ ભરતને વિષે ૫ પાંચ વૈતાઢ્ય હોય, અને પ ઐરાવતને વિષે પાંચ વૈતાઢ્ય હોય, કુલ ૧૭૦ એકસો સિત્તેર વૈતાઢય પર્વત થયા, તે એકસો સિત્તેર વૈતાઢ્ય પર્વતને વિષે રહેલા જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ પાંચમો અર્થ,
૬. ચત્તારિ કહેતાં ૪ ચાર એટલે મૂળ ચાર અને અટ્ટ કહેતાં આઠને આઠગુણા કરવાથી ૬૪ ચોસઠ થાય, તેમાં ૪ ચાર મેળવવાથી ૬૮ અડસઠ થાય, તથા દસને દસે ગુણવાથી ૧૦૦ થાય, તથા દોઅ કહેતા ૨ બે એવી રીતે ૬૮+૧૦૦+૨ ત્રણ ને મેળવતાં ૧૭૦ થાય, એવી રીતે ઉત્કૃષ્ટકાળે વર્તતાં ૧૭૦ જિનેશ્વર મહારાજાઓને વંદન કર્યું, એ છઠ્ઠો અર્થ.
૧૨૯
ભોગ-પ ફર્મા-૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org