________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૧૮. ભરત અને ઐરાવતે રાત્રિ હોય ત્યારે પાંચ મહાવિદેહે દિવસે હોય, તે માટે ૨૦ અથવા ૧૦ નો જન્મ હોય
૧૯. અભિષેક કરવાના ૩૦ સિંહાસનો હોય છે. એક મેરૂ ઉપર ચાર શિલા એવા ૫ મેરૂ પર્વત છે.
૨૦. જે શિલા પૂર્વે અને પશ્ચિમે છે તેના ઉપર બબે સિંહાસનો
૨૧. જે શિલા ઉત્તર અને દક્ષિણે છે, તેની ઉપર એક એક સિંહાસન છે.
૨૨. ચાર ચાર તીર્થકર એક સમયે જન્મીને પાંચ મહાવિદેહે ૨૦ થાય, તે એક સમયે ૨૦ના અભિષેકો થાય.
૨૩. અને પાંચ ભરતના અને પાંચ ઐરાવતના ૧૦ એકી સમયે જન્મે ત્યારે ૧૦ જન્માભિષેક એકી સમયે થાય, તે માટે એક સમયે ૧૦ અગર ૨૦ જન્મે તેમ કહેલું છે.
૨૪, એમ ૨૦, ૨૦ એક સમયે જન્મીને થોડા કાળમાં ૧૬૦ મહાવિદેહનાં સર્વ વિજયમાં પૂરા થાય.
પણ ૧૬૦ એકી વખતે જન્મે નહિ, કારણ કે સિંહાસન ૩૦ છે, તો જન્માભિષેક કેવી રીતે થઈ શકે, તેટલા માટે એક સાથે ૨૦ અથવા ૧૦ જન્મ પણ વધારે નહિ.
૨૫. ૧૬૦ તીર્થકરોનું ૮૪ લાખ વર્ષ પૂર્વનું આયુષ્ય હોય છે, ૫૦૦ ધનુષ્યનું દેહમાન હોય છે, પડતે આરે ત્રીજા અને ચોથામાં ધર્મ હોય છે, પડતા કાળે ત્રીજા ચોથા પાંચમા આરામાં ધર્મ હોય છે, તે ભરત ઐરાવતે જાણવું, મહાવિદેહમાં સદા ચોથો આરો હોય છે. ત્યાં ચડતો પડતો કાળ નથી.
(તિચ્છ લોમાં રહેલા શાશ્વત ચેત્યોના સ્થાનો.)
૧. શ્રી નંદીશ્વરદ્વીપે ૪ અંજનગિરિ, ૧૬ દલિમુખ, ૩૨ રતિકર ઉપર એવં પ૨.
૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org