SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પરણેલ, કોઈક બાલક હોય, એક મોક્ષે જાય ત્યારે બીજાને કેવલજ્ઞાન ઉપજે. ૯. પાંચ મહાવિદેહમાં ચડતા કાળના આઠમા તીર્થંકરથી માંડીને પડતા કાળના ૧૬માં તીર્થકર સુધી વિરહ ન પડે. ૧૦. ભરત ઐરવતે વિરહ પડે આ મહાવિદેહે ૧૬૦ હોય. ૧૧. જ્યારે પડતા કાળે ૧૬ માં તીર્થકર મોક્ષે જાય ત્યારે ૧૭૦ સર્વે મોક્ષે જાય, તે વખતે ૧૫ ક્ષેત્રે સાથે વિરહ પડે. ત્યારપછી પાંચ ભરત અને પાંચ ઐરાવતે ૧૦ ઉપજે. વધારે નહિ. એમ જઘન્યથી ૧૦ જાણવા. ૧૨. ભરત ઐરાવતના દસ મોક્ષે જાય, ત્યારે એ કેક મહાવિદેહમાં ચાર થઈ પાંચ મહાવિદેહે ૨૦ જન્મે. ૧૩. ભરતના ૧૭મા તથા ૧૮માં જિન વચ્ચે જઘન્યથી એ ૨૦ જાણવા. ૧૪. એમ મહાવિદેહના ૨૦ તીર્થકર, ભરતક્ષેત્રના ૨૦માં તથા ૨૧મા તીર્થંકર વચ્ચે સંયમ લઈને કેવલી થાય, તે વેળા પ ભરતના, ૫ ઐરાવતના, ૨૦ મહાવિદેહના એમ ૩૦ તીર્થકરો મધ્યમ હોય. ૧૫. જ્યારે અહીં ૨૪માં તીર્થકર મુક્તિમાં જાય ત્યારે મહાવિદેહમાં ૨૦ તીર્થકરો વિચરે છે, તે આવતી ચોવીશીના ભરતક્ષેત્રના ૭માં તીર્થકર વચ્ચે મોક્ષે જશે, તે આઠમા તીર્થંકર નહિ જન્મે ત્યાં સુધી ૧૫ ક્ષેત્રમાં સાથે વિરહ પડશે, એમ જાણવું. ૧૬. વળી ચડતા કાળના આઠમા જિનથી પૂર્વે જેમ કહ્યું તેવી રીતે ૧૭૦ તીર્થંકરો થાય એમ ૧૭૦ ૨૦, ૧૦, ૩૦ તીર્થંકરો થયા, થાય છે અને થશે. ૧૭ તીર્થકરો નાં ચ્યવન કલ્યાણકો અને જન્મ કલ્યાણકો અર્ધરાત્રિયે થાય છે. M૧૧૪) ૧૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy