________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
સ્થલચર તિર્યંચના દસ લાખ કોટી કુલ છે. ખેચરતિર્યંચના ૧૨ લાખ કોટી કુલ છે. ઉરપરિસર્પના ૧૦ લાખ કોટી કુલ છે. ભુજપરિસર્પતિર્યંચના ૯ લાખ કોટી કુલ છે. એવી રીતે તિર્યંચપચંદ્રિયના ૫૩. લાખ કોટી કુલ થયા. મનુષ્યના ૧૨ લાખ કુલ કોટી છે. એવી રીતે ચૌવીશ દંડકના કુલ કોટી દ્વાર કહ્યા.
આવી રીતે ૩૫ દ્વારનો વિચાર સંક્ષેપથી લખેલ છે, વિશેષ સૂત્ર સિદ્ધાંતોથી તથા પ્રકરણોથી જાણી લેવું. એવી રીતે ૨૪ દંડકને વિષે સમુચ્ચયથી ૩૫ દ્વારોનું વર્ણન કર્યું.
કલમાન કોષ્ટક પ્રથમ | અસંખ્યાતા સમયની એક આવલી થાય, ૨૫૬ આવલીનો એક ક્ષુલ્લકભવ થાય,
(નિગોદીયા જીવોનો એક ભવ) ૧ી ક્ષુલ્લક ભવે એક પ્રાણ થાય, ૭ પ્રાણે
એક સ્તોક થાય, ૭ સ્તોકે
એક લવ થાય, ૭૦ લવે
એક મુહૂર્ત થાય, ૩૦ મુહૂર્ત
એક અહોરાત્રિ થાય, ૧૫ અહોરાત્રિયે
એક પક્ષ થાય, ૨ પક્ષે
એક માસ થાય, ૨ માસે
એક ઋતુ થાય, ૩ ઋતુ
એક અયન થાય ૨ અને
એક સંવત્સર થાય,
M૧૦૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org