________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
બે ઇંદ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષની હોય છે. તે ઇન્દ્રિયની કાયસ્થતિ સંખ્યાતા દિવસની હોય છે. ચૌરિદ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા માસની હોય છે. તિર્યંચ પંચેદ્રિયની કાયસ્થિતિ સાત આઠ ભવની હોય છે. મનુષ્યની કાયસ્થિતિ સાત આઠ ભવની હોય છે.
વાણવ્યંતરની કાયસ્થિતિ વ્યતર મરીને વ્યતર ન થાય. ભવસ્થિતિ જેટલી કાયસ્થિતિ.
જયોતિષિ મરીને જ્યોતિષિદેવ ન થાય ભવસ્થિતિ જેટલી કાયસ્થિતિ.
વૈમાનિક મરીને વૈમાનિકપણું ન પામે. ભવસ્થિતિ જેટલી કાયસ્થિતિ.
એવી રીતે કાયસ્થિતિ કહી. હવે ચોત્રીશ યોનિદ્વાર બતાવે છે.
ચૌદ રાજલોકમાં ૮૪ ચોરાશી લાખ જીવાયોનિ છે, તેમાં કયા દંડકમાં કેટલી યોનિ છે તે બતાવે છે :
સાત નરકને વિષે ૪ ચાર લાખ જીવાયોનિ છે.
દસ પ્રકારના દસ ભુવનપતિના ૧૦ દસ દંડકમાં, ૧ એક વાણવ્યંતરમાં તથા ૧ એક જ્યોતષિમાં, તથા ૧ એક વૈમાનિકના દંડકમાં, એમ કુલ ૧૩ તેર દંડકમાં ૪ ચાર લાખ જીવાયોનિ છે.
પૃથ્વીકાયને વિષે ૭ લાખ જીવાયોનિ છે. અપકાયને વિષે ૭ લાખ જીવાયોનિ છે. તેઉકાયને વિષે ૭ લાખ જીવાયોનિ છે. વાઉકાયને વિષે ૭ લાખ જીવાયોનિ છે.
વનસ્પતિકાયના બે ભેદમાં, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિ કાયમાં જીવાયોનિ છે.
M૯૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org