________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
અપકાયની કાયસ્થિતિ પૃથ્વીકાયની પેઠે જાણવી. તેઉકાયની કાયસ્થિતિ પૃથ્વીકાયના પેઠે જાણવી. વાઉકાયની કાયસ્થિતિ પૃથ્વીકાયના પેઠે જાણવી. વનસ્પતિકાયની કાયસ્થિતિના બે ભેદ નીચે મુજબ બતાવે છે.
૧ પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સીત્તેર કોટાકોટી સાગરોપમની જાણવી.
સાધારણ વનસ્પતિકાયની કાયસ્થિતિ નીચે મુજબ છે,
૧ સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ જઘન્ય એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્ય અવસર્પિણી કાળ સુધીની એટલે ચૌદ રાજલોક પ્રમાણે અસંખ્યલોક કલ્પવા, તેમાં જેટલી આકાશપ્રદેશ છે તેટલી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ સુધી રહે.
૨ બાદર નિગોદની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૭૦ કોડાકોડી સાગરોપમની છે.
૩ સૂક્ષ્મ નિગોદ બાદર નિગોદપણે રહે તો કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતો કાલ, તે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી એટલે અઢી પુદ્ગલપરાવર્તનકાલ સુધી રહે.
૪ સૂક્ષ્મ નિગોદ તથા બાદર નિગોદ પ્રત્યેક થઈને કાયસ્થિતિયે રહે તો અસંખ્યાતા પુદ્ગલપરાવર્તન હોય.
અંગુલના અસંખ્ય ભાગના ક્ષેત્રમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા પુદ્ગલપરાવર્તન જાણવા.
એવી રીતે સાધારણ વનસ્પતિકાયની વ્યવહાર રાશીની કાયસ્થિતિ કહી.
એવી રીતે સાધારણ વનસ્પતિકાયની વ્યવહારરાશીની કાયસ્થિતિ કહી.
એવી રીતે વનસ્પતિકાયની કાયસ્થિતિ કહી.
- ૯૭
ભાગ-૫ ફ-૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org