________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ઇચ્છા ઉત્પન્ન થાય છે.
વૈમાનિકવાળાને આહારની ઇચ્છા થાય તેના ભેદ બતાવે છે:
૧ જેનું પલ્યોપમનું આયુષ્ય હોય તેને બેથી નવ દિવસે આહારની ઇચ્છા થાય છે.
૨ જેનું સાગરોપમનું આયુષ્ય હોય છે તેને એક હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે.
૩ જેનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેને તેટલા હજાર વર્ષે આહારની ઇચ્છા ઉપજે છે.
૪ સર્વાર્થસિદ્ધના દેવતાનું ૩૩ સાગરોપમનું આયુષ્ય છે તેથી ૩૩ હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે.
એવી રીતે આહારની ઇચ્છાદાર કહ્યું. હવે તેત્રીસમું કાયસ્થિતિનું દ્વાર બતાવે છે :
ચોવીશ દંડકવાળા પોતાની કાયાને વિષે કેટલો કાળ ઉત્પન્ન થાય છે તે બતાવે છે.
સાત નારકીવાળા મરીને નારકીમાં ઉત્પન્ન થાય નહિ, તેની જેટલી ભવસ્થિતિ હોય તેટલી કાયસ્થિતિ જાણવી.
દસ ભુવનપતિના દંડકવાળા દેવતા મરીને દેવતા ન થાય. તેની પણ ભવસ્થિતિ કાયસ્થિતિ સમાન જાણવી.
પૃથ્વીકાયની કાયસ્થિતિના બે ભેદ નીચે મુજબ બતાવે છે.
૧ સૂક્ષ્મ પૃથ્વીકાયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની જાણવી.
૨ બાદર પૃથ્વીકાયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટી સાગરોપમની છે.
એવી રીતે પૃથ્વીકાયની કાયસ્થિતિ કહી. જેની જેટલી ભવસ્થિતિ હોય તેનું તેટલું આયુષ્ય જાણવું.
૯૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org