________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
સંમૂચ્છિમ તિર્યંચ પચંદ્રિયને ઉપરોક્ત ત્રણ પ્રકારે હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેદ્રિયને ઉપરોક્ત ત્રણ પ્રકારે હોય છે. સંમૂચ્છિમ મનુષ્યને ઉપરોક્ત ત્રણ પ્રકારે હોય છે. ગર્ભજ મનુષ્યને ઉપરોક્ત ત્રણ પ્રકારે હોય છે. વાણવ્યંતરને ૧ ઓજાહાર ર લોમાહાર એ બે પ્રકારે હોય છે. જયોતિષને ૧ ઓજાહાર ૨ લોમાહાર એ બે પ્રકારે હોય છે. વૈમાનિકને ૧ ઓજાહાર ૨ લોમાહાર એ બે પ્રકારે હોય છે. એવી રીતે ત્રણ પ્રકારના આહારનું દ્વાર કહ્યું.
હવે બત્રીશમું કયા દંડકવાળાને આહારની ઇચ્છા કેટલે કાળે ઉત્પન્ન થાય છે તે બતાવે છે :
સાત નરકવાળાને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે.
દસ ભુવનપતિના દસ દંડકવાળાને આહારની ઇચ્છા થાય છે તેના જુદા જુદા ભેદો બતાવે છે.
૧ જેનું દસ હજાર વર્ષનું આયુષ્ય હોય છે તેને ચોથ ભક્ત આહારની ઇચ્છા થાય છે.
૨ જેનું પલ્યોપમનું આયુષ્ય હોય છે તેને બે દિવસથી નવ દિવસે આહારની ઇચ્છા થાય છે.
૩ જેનું સાગરોપમનું આયુષ્ય હોય છે તેને એક હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે.
૪ જેનું સાગરોપમથી અધિક આયુષ્ય હોય છે તેને એક હજાર વર્ષથી અધિકકાળે આહારની ઈચ્છા થાય છે.
પૃથ્વીકાયવાળાને સમયે સમયે આહારની ઇચ્છા થાય છે. અપકાયવાળાને સમયે સમયે આહારની ઇચ્છા થાય છે. તેઉકાયવાળાને સમયે સમયે આહારની ઇચ્છા થાય છે.
૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org