________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને પ્રથમથી પાંચ ગુણસ્થાનો છે. એવી રીતે તિર્યંચ પંચેંદ્રિયના બે ભેદકહ્યા. સંમૂચ્છિમ મનુષ્યને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. ગર્ભજ મનુષ્યને ૧૪ ગુણસ્થાનો હોય છે. એવી રીતે મનુષ્યના બે ભેદ કહ્યા. વાણવ્યંતરને પ્રથમના ૪-ગુણસ્થાનો હોય છે.
જ્યોતિષિને પ્રથમના ૪-ગુણસ્થાનો હોય છે. વૈમાનિકના બે ભેદ નીચે મુજબ બતાવે છે.
બાર દેવલોક તથા નવ રૈવેયકના દેવતાને પ્રથમના ૪, ગુણસ્થાનો હોય છે.
પાંચ અનુત્તર વિમાનના દેવોને એક જ અવિરતિ ગુણસ્થાન હોય છે.
હવે અઠ્ઠાવીસમું દસ પ્રકારના પ્રાણનું દ્વાર બતાવે છે. ૧. સ્પર્શેદ્રિ ૪ ચક્ષુઇંદ્રિ, ૭. વચનબલ ૧૦ આયુષ્ય ૨. રસેંદ્રિ. ૫ શ્રોતેંદ્રિ ૮. કાયબલ. ૩. ધ્રાણેન્દ્રિ. ૬. મનબલ. ૯. શ્વાસોશ્વાસ એ પ્રમાણે દસ પ્રાણ હોય છે. હવે કયા દંડકવાળાને કયા પ્રાણ હોય છે, તે નીચે મુજબ બતાવે
સાત નરકના દંડકને ૧૦ પ્રાણ હોય છે. દસ ભુવનપતિના દંડકને ૧૦ પ્રાણ હોય છે.
પૃથ્વીકાયને ૧ સ્પર્શેદ્રિ ૨. કાયબળ ૩. શ્વાસોશ્વાસ ૪. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે.
અપકાયને ૧ સ્પર્શેદ્રિ ૨. કાયબળ, ૩. શ્વાસોશ્વાસ, ૪. આયુષ્ય એ ચાર પ્રાણ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org