________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
હવે સત્તાવીસમું ગુણસ્થાન દ્વાર બતાવે છે.
ગુણસ્થાનો ૧૪ છે તેની વિગત નીચે મુજબ છે. ૧. મિથ્યાત્વ ગુણસ્થાન ૮. અપૂર્વકરણ ગુણસ્થાન ૨. સાસ્વાદન ગુણસ્થાન ૯. અનિવૃત્તિનાદર ગુણસ્થાન ૩. મિશ્ર ગુણસ્થાન ૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન ૪. અવિરતિ સમ્યક્ટ્રષ્ટિ ગુણસ્થાન ૧૧. ઉપશાંતમોહ ગુણસ્થાન પ. દેશવિરતિ ગુણસ્થાન ૧૨. ક્ષીણમોહ ગુણસ્થાન ૬. પ્રમત્ત ગુણસ્થાન ૧૩. સયોગીકેવલી ગુણસ્થાન ૭ અપ્રમત્ત ગુણસ્થાન ૧૪ અયોગીકેવલી ગુણસ્થાન એ પ્રકારે ચૌદ ગુણસ્થાન કહ્યા,
હવે કયા કયા દંડકવાળાને કેટલાં કેટલાં ગુણસ્થાન હોય છે, તે બતાવે છે.
સાત નરકના દંડકવાળાને પ્રથમના ૪ ચાર ગુણસ્થાનકો થાય છે. દસભુવનપતિના દસ દંડકવાળાને પ્રથમના ૪ ગુણ સ્થાનો હોય
પૃથ્વીકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. અપકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. તેઉકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. વાઉકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. વનસ્પતિકાયને એક જ મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. બેઇંદ્રિયને પ્રથમના બે ગુણસ્થાનો હોય છે. તેઇંદ્રિયને, પ્રથમના બે ગુણસ્થાનો હોય છે. ચૌરિંદ્રિયને પ્રથમના બે ગુણસ્થાનો હોય છે. સંમૂચ્છિમ તિર્યંચ પંચંદ્રિયને પ્રથમના બે ગુણ સ્થાનો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org