________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
છઠ્ઠી નરકે-૪ માસનો વિરહકાલ છે, સાતમી નરકે-૬ છ માસનો વિરહકાલ છે, એવી રીતે સાત નરકનો વિરહકાલ કહ્યો,
દસ પ્રકારના દસ ભવનપતિનો વિરહકાલ જઘન્ય ૧ એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો છે.
પૃથ્વીકાયને વિરહકાલ નથી. અપકાયને વિરહકાલ નથી. તેઉકાયને વિરહકાલ નથી. વાઉકાયને વિરહકાલ નથી. વનસ્પતિકાયને વિરહકાલ નથી.
બેઇદ્રિયને જઘન્ય ૧ સમયનો અને ઉત્કૃષ્ટ ૧ મુહૂર્તનો વિરહકાલ છે,
તેઇંદ્રિયને જઘન્ય ૧ સમયનો અને ઉત્કૃષ્ટ ૧ મુહૂર્તનો વિરહકાલ છે.
ચૌરિંદ્રિયને જઘન્ય ૧ સમયનો અને ઉત્કૃષ્ટ ૧ મુહૂર્તનો વિરહકાલ છે.
- સંમૂછિમ તિર્યંચ પંચેંદ્રિયનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ ચોવિશ મુહૂર્તનો વિરહકાલ છે,
ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તનો વિરહકાલ છે.
એ પ્રમાણે તિર્યંચ પંચેંદ્રિયના બે ભેદ કહ્યા,
સંમૂચ્છિક મનુષ્યનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરહકાલ છે,
ગર્ભજ મનુષ્યનો જઘન્ય ૧ એક સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તનો વિરહકાલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org