SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૪૮૦ ચારસોને એંશી છે. રૂચક પર્વત ૧ એક છે, તેના ઉપર દેરાસરજી ૪ ચાર છે, એક એક દેરાસરજીમાં જિનપ્રતિમા ૧૨૦ હોવાથી કુલ પ્રતિમાજી ૪૮૦ ચારસોને એંશી છે. એવી રીતેબાર બોલ તિસ્કૃલોકમાં છે, તેને વિષે શાશ્વતા દેરાસરજી પ૧૧ છે, તેને વિષે કુલ જિનપ્રતિમાજી ૬૧૪૦૦ છે, એવી રીતે તિષ્ણુલોકમાં દહેરાસરજી તથા પ્રતિમાજીનો વિચાર કહ્યો, એવી રીતે ત્રણ લોકને વિષે કુલ શાશ્વતા દેરાસરજી ૮૬૬૯૭પ૩૪ છે, તેને વિષે કુલ જિનપ્રતિમાજી ૧૫૪૨૫૫૨૫૫૪૦ છે, તે ઉપરાંત વ્યંતર દેવતાના અસંખ્ય ભુવન છે, તેથી તેમાં અસંખ્ય દેરાસરજી છે, અને તેને વિષે અસંખ્ય જિનપ્રતિમાજી છે, વળી જ્યોતિષિના અસંખ્ય દેરાસરજીને વિષે અસંખ્ય પ્રતિમાજી છે, એવી રીતે શાશ્વતા દેરાસરજી તથા શાશ્વતી પ્રતિમાજી કહા તેમને વંદન કર્યાથી અનંતાભવના પાપ નાશ થાય છે, એવી રીતે ભુવનદ્વાર કહ્યું. હવે છવીસમા વિરહદ્વારના ભેદ બતાવે છે. સમુશ્ચયગતિ ચાર ને વિરહકાલ ૧૨ મુહૂર્તનો હોય છે, તેમાં ક્યા કયા દંડકવાળાને કેટલો કેટલો વિરહકાલ હોય છે, તે નીચે મુજબ બતાવે છે, સાત નરકના દંડકને વિષે જઘન્ય એક સમયનો, અને ઉત્કૃષ્ટ ૬ માસનો વિરહકાલ હોય છે, તેનું વિવરણ કરી બતાવે છે, પ્રથમ નરકે-જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરહકાલ બીજી નરકે-સાત ૭ દિવસનો વિરહકાલ છે, ત્રીજી નરકે-૧૫ દિવસનો વિરહકાલ છે, ચોથી નરકે-૧ માસનો વિરહકાલ છે, પાંચમી નરકે-૨ માસનો વિરહકાલ છે. ( ૮૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy