SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૫૪૨૫૫૨૫૫૪૦ છે, તેની વિગત નીચે મુજબ છે. પ્રથમ અધોલોકમાં દસ પ્રકારના ભુવનપતિ માંહે દસનિકાયના વીશ ઇંદ્ર છે, તેના ભુવન ૭૭૨૦૦૦૦૦ છે. તે એક ભુવનમાં એક એક દેરાસરજી શાશ્વત છે, એટલે ૭૭૨૦૦૦૦૦ દેહરાસરજી શાશ્વતા થયા, તે એક એક દહેરાસરજીમાં ૧૮૦ પ્રતિમાજી શાશ્વતી છે, એટલે સર્વ પ્રતિમાજી મલીને ૧૩૮૯૬000000 પ્રતિમાજી છે. એવી રીતે ભુવન પતિમાં દેરાસરજી તથા પ્રતિમાજીની સંખ્યા કહી. હવે બીજા ઉર્ધ્વલોકમાં, વૈમાનિક દેવતાના વિમાનને વિષે, પહેલા દેવલોકથી માંડીને યાવત પાંચ અનુત્તર વિમાન સુધી, કુલ વિમાન ૮૪૯૭૦૨૩ છે, તે એકેક વિમાનને વિષે, એક એક દેરાસરજી શાશ્વત છે, એટલે ૮૪૯૭૦૨૩ દેરાસરજી થયા, તે એકેક દેરાસરજીમાં, ૧૮૦ શાશ્વતી પ્રતિમાજી છે, અને સર્વે પ્રતિમાજી મલીને ૧૫૨૯૪૬૪૧૪૦ પ્રતિમાજી છે, એવી રીતે બાર દેવલોકે તથા નવરૈવેયકે તથા પાંચ અનુત્તર વિમાને પ્રતિમાજી તથા દેરાસરજીની સંખ્યા કહી. હવે ત્રીજા તિથ્ય લોક માંહે. જંબુદ્વિપથી માંડીને રૂચકદ્વિપ લગે શાશ્વતા દેરાસરજી પ૧૧ છે, તેની વિગત નીચે મુજબ છે, વૈતાઢયપર્વત ૧૭૦ છે, તે ઉપર દેરાસરજી એક એક હોવાથી દેહરાસરજી પણ ૧૭૦ છે, તે એક એક દેરાસરજી મધ્યે જિન પ્રતિમાજી ૧૨૦ છે, એટલે કુલ પ્રતિમાજી ૨૦૪૦૦ વીશ હજાર અને ચારસો છે. વર્ષધર પર્વત ૩૦ ત્રીશ છે, તે પ્રત્યેક ઉપર એક એક દેરાસરજી હોવાથી દેરાસરજી પણ ૩૦ છે, અને એક એક દેરાસરજીમાં જિન પ્રતિમાજી ૧૨૦ છે, તેથી કુલ પ્રતિમાજી ૩૬૦૦ છત્રીસો છે. ક્રોધમવૃક્ષ ૧૦ છે, તેના ઉપર એક એક દેરાસરજી હોવાથી ૧૦ દહેરાસરજી છે, અને એક એક દેરાસરજીમાં ૧૨૦ જિન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy