________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
તે બાર દેવલોકના ઈંદ્રો દસ કહ્યા છે, કારણ કે નવમા તથા દસમા દેવલોકનો એક જ ઇંદ્ર છે, તથા અગ્યારમાં બારમા દેવલોકનો એક જ ઇંદ્ર કહેલ છે. માટે કુલ ૧૦ ઇંદ્ર થયા.
અને કુલ પાથડા પર બાવન બાર દેવલોકના મલીન થયા, હવે બીજા ભેદમાં નવરૈવેયકને વિષે ૩૧૮ વિમાન છે. તેમાં પહેલી રૈવેયકત્રિકમાં ૧૧૧ એકસો અગીયાર વિમાન છે, બીજી રૈવેયકત્રિકમાં ૧૦૭ એકસો સાત વિમાન છે. ત્રીજી રૈવેયકત્રિાકમાં ૧૦૦ એકસો વિમાન છે. એવી રીતે ૩૧૮ ત્રણસો અઢાર વિમાન થયા. તથા નવ રૈવેયકને વિષે પાથડા પણ ૯ નવ છે, ત્યાં કોઇ ઇંદ્ર નથી. પોતે જ ઇંદ્ર સ્વામી છે. એવીરીતે નવરૈવેયકનું ભુવનદ્વાર કહ્યું, હવે ત્રીજો ભેદ પાંચ અનુત્તર વિમાનનો બતાવે છે,
પાંચ અનુત્તર વિમાનને વિષે વિમાન પ પાંચ છે, અને તે પાંચે અનુત્તર વિમાનમાં પાથડો ૧ એકજ છે. અને તિહાં ઇંદ્ર નથી, પરંતુ પોતે જ સ્વામિ-ઇંદ્ર છે,
એવી રીતે વૈમાનિક દેવતાના ભુવન દ્વાર કહ્યા,
સર્વે વૈમાનિક દેવતાના ભુવન કુલ ૮૪ ૯૭૦૨૩ ચોરાશીલાખ સત્તાણું હજાર અને ગ્રેવશ થયા,
અને વૈમાનિક દેવતાના કુલ પાથડા ૬૨ થયા, એવીરીતે વૈમાનિક દેવતાનું ભુવનદ્વાર કહ્યું,
વ્યંતરના ભુવન તથા જયોતિષિના વિમાન વર્જીને બાકી ઉર્ધ્વલોક તથા અપોલોક તથા તિછલોકને વિષે શાશ્વતા મંદિરો ૮૬૯૭૫૩૪ છે, એટલા દહેરાસરજી સદા કાળે છે. તેની આદિ પણ નથી અને અંત પણ નથી. તે દેહરાસરજી મધ્યે કુલ શાશ્વતી પ્રતિમા
૮૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org