SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ ૪ લાયોપથમિક સમ્યકત્વ. ૯ નિશ્ચય સમ્યકત્વ ૫ કારક સમ્યકત્વ ૧૦ સાસ્વાદન સમ્યકત્વ. ૧. અનંતાનુબંધિ કષાયની ચોકડી, સમકિત મોહની મિશ્રમોહનિ, અને મિથ્યાત્વ મોહની, એ સાતેનો મૂળમાંથી ક્ષય, તેનું નામ ક્ષાયિક સમકિત કહેવાય છે. ૨ ઉપર પ્રમાણે સાતે પ્રકૃતિને ઉપશમાવે તેનું નામ ઉપશમ સમ્યકત્વ કહેવાય છે. ૩. ક્ષય ઉપશમ સમ્યકત્વના ચરમ પુદ્ગલનું શુદ્ધ સમયે વેદનું તે વેદક સમ્યકત્વ કહેવાય છે. ૪ ઉદય આવેલા મિથ્યાત્વના દલને ક્ષય કરવા, અને ઉદય નહિ આવેલા મિથ્યાત્વના દિલને ઉપશમાવવા તેનું નામ ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. પ્રદેશ, ઉદયતો ઈંહાં પણ હોય છે. પ આગમોક્ત શૈલીપૂર્વક યથાશક્તિ દાન, પૂજા, વ્રત નિયમાદિક કરવા તેનું નામ કારક સમ્યકત્વ કહેવાય છે. જેમકે હે નાથ ! જે જેમ યથાર્થ ભાવે વિધિ માર્ગ પ્રકાશ્યો છે, તે તેમજ આજ્ઞાને અનતિક્રમો થકો, એટલે તમારી આજ્ઞા સહીત આગમોકત શૈલીપૂર્વક યથાશક્તિ દાન, પૂજા, વ્રત, નિયમાદિક ભાવના પૂર્વક કરવા, તે કારક સમ્યકત્વ કહેવાય છે. ૬ ધર્મને વિષે રૂચી માત્ર કરે, શ્રી જિનોક્ત ધર્મ કરવાની ઇચ્છા રહે, શુદ્ધ શ્રદ્ધા રાખે, કોઈને ધર્મ પ્રવૃત્તિ કરતો દેખીનેરૂડુ માને, પરંતુ પોતે ક્રિયાનુણાનાદિક ભારે કર્મ હોવાથી કરી શકે નહિ, તેવા સમકિતને રોચક સમ્યકત્વ કહે છે. ૭ સ્વયં પોતે તો મિથ્યાદ્રષ્ટિ એ ભવ્ય દુર્ભવ્ય, હોય પણ અંગારમર્દક આચાર્યના પેઠે, ધર્મ ક્રિયાદિકે કરીને બીજા ભવ્ય ભદ્રિક (૧૧૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005490
Book TitleVividh Vishay Vicharmala Part 04
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy