SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • પુત્રો-૧ પિતાથી અધિક-તે આદિશ્વરજી, ૨ પિતાથી હીન-તે ભરતચક્રી, ૩ પિતા પુત્ર બન્ને સરખા-આદિત્યયશા અને મહાયશા, ૪ એક કુલાંગાર કંડરિકના પેઠે. • એવા ચાર શિષ્ય-૧ એક શિષ્ય ગુરૂથી અધિકારસિહગિરિથી વજસ્વામિની પેઠે. ૨ એક શિષ્ય ગુરૂથી હીના-તે ભદ્રબાહુથી સ્થૂલભદ્રની પેઠે, ૩ એક શિષ્ય ગુરૂના બરોબર-પ્રભવસ્વામીને શäભવની પેઠે, ૪ એક શિષ્ય. ગુરૂને કલંક લગાડનાર-કુલવાલક તથા ઉદાયિનેમારનાર વિનેયરત્નની પેઠે. • ક્રોધ ઉપજે-૧ પોતાની ઉપર ક્રોધ ઉપજે, ર પરની ઉપર ક્રોધ ઉપજે, ૩ પોતાના અને પરના ઉપર ક્રોધ ઉપજે, ૪ વિના કારણે નાહક ક્રોધ ઉપજે. • ક્રોધ ૪ પ્રકારે ઉપજે શરીર નિમિત્તે ક્રોધ ઉપજે, ૨ વસ્ત્રનિમિત્તે ક્રોધ ઉપજે, ૩ ઉપકરણ નિમિત્તે ક્રોધ ઉપજે ૪ ક્ષેત્ર નિમિત્તે ક્રોધ ઉપજે. • જિનકલ્પી ચાર ઠેકાણે બોલે -૧ કોઈ વાની યાચના કરવી હોય ત્યારે બોલે, ર પૂછવાને માટે બોલે, ૩ આજ્ઞા લેવાને માટે બોલે, ૪ કોઈએ કાંઈ પૂછવાથી ઉત્તર આપવા માટે બોલે. • પડિમા-સમાધિ પડિમા-તે સમતાભાવ રાખે, ૨ ઉપધાન પડિમા તે તપસ્યા કરે, ૩ વિવેક પડિમા- તે શરીર ત્યાગ કરે, ૪ વ્યુત્સર્ગ પડિમા-તે કાઉસગ્ગ કરે. • આચાર્ય - ૧ એક આચાર્ય વૈયાવચ્ચ કરે નહિ અને કરાવે નહિ, ર એક આચાર્ય વૈયાવચ્ચ કરે નહિ પણ કરાવે ખરા, ૩ એક આચાર્ય વૈયાવચ્ચ કરે પણ કરાવે નહિ, ૪ એક આચાર્ય વૈયાવચ્ચ કરે ને કરાવે પણ ખરા. ( ૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy