SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૩ • દસ પ્રશ્નના ઉત્તર પ્રશ્ન : ૧ લવણ સમુદ્ર તરવો સુલભ, પણ સંસાર સમુદ્ર તરવો દુષ્કર કેમ ? ઉત્તર લવણ સમુદ્રમાં પાણી ઘણું છે સંસાર સમુદ્રમાં મોહરૂપી પાણી છે તેથી તરી શકે નહિ, ર લવણ સમુદ્રમાં પાણીના કલ્લોલો ઘણા છે, તેમ સંસાર સમુદ્રમાં સ્નેહરૂપી કલ્લોલો ઘણા છે, ૩ લવણ સમુદ્રમાં પવન ઘણો છે, સંસાર સમુદ્રમાં મિથ્યાત્વરૂપી પવન ઘણો છે, ૪ લવણ સમુદ્રમાં કાદવ ઘણો છે, સંસારમાં રાગ દ્વેષરૂપી કાદવ ઘણો છે, ૫ લવણ સમુદ્રમાં જળમy. Aો ઘણા છે, સંસાર સમુદ્રમાં પાખંડ મતરૂપી કિરાડા ઘણા છે, ૬ લવણ સમુદ્રમાં મોટા પર્વતો છે, સંસાર સમુદ્રમાં આઠ કર્મરૂપી કલશો છે. ૮ લવણ સમુદ્રમાં મત્સ્ય કચ્છપ-મગરાદિક ઘણા છે, તેમ સંસાર સમુદ્રમાં કુટુંબ પરિવારરૂપી મસ્યાદિકો ઘણાજ છે, ૯ લવણસમુદ્રમાં છીપો શંખાદિક ઘણા છે, તેમજ સંસારસમુદ્રમાં કુગુરૂ કુધર્મ કુશાસ્ત્રરૂપી છીપલા શંખલા ઘણા છે ૧૦ લવણ સમુદ્રમાં પાણીનો પ્રવાહ ઘણો જ છે, તેમજ સંસાર સમુદ્રમાં કર્મ કષાયનો હઠ કદાગ્રહ ઘણોજ છે, તેથી સંસાર સમુદ્ર તરી શકે નહિ. એ ઉપરોકત કારણથી લવણ સમુદ્ર તરવો દુષ્કર છે, પરંતુ કદાચ દેવતાની સહાયથી તરી શકે, તેવીજ રીતે ભગવાનની પૂજાથી, સાધુની સેવાથી, સિદ્ધાંત શ્રવણથી, જ્ઞાન દર્શન ચારિત્રથી દુસ્તર એવા પણ સંસારસાગરને તરી શકાય છે. • દસ પ્રકારના દાન : ૧ આદાન, ૨ ગર્વદાન, ૩ , સંગ્રહદાન ૪ ભયદાન, ૫ અનુકંપાદાન, ૬ લજ્જાદાન, ઉપકૃતદાન ૯ અધર્મદાન, ૯ ધર્માર્થદાન, ૧૦ અભયાર્થદાન. • દસ પ્રકારે દેવગતિમાં જાયઃ ૧ દેવ ગુરૂ ધર્મની ભક્તિ કરનાર, ૨ ગઈ વસ્તુનો શોક નહિ કરનાર, ૩ શુભ ધ્યાનનો કરનાર, ૪ શુદ્ધ સમ્યકત્વ પાળનાર, ૫ વૈરાગ્યને ધારણ કરનાર, ૬ ધર્મધ્યાન ૮૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005489
Book TitleVividh Vishay Vicharmala Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy