SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ સ્મૃતિમાં રાખવાં જોઇએ. ૧૫૦. પૈસાનો નાશ થયો હોય તે. તથા મનનો સંતાપ, તથા ઘરનાં ચરિત્રો, બીજાને ઠગવાપણું તથા અપમાન, આટલી વાત બુદ્ધિમાન મનુષ્ય ઘરની પાસે પ્રકાશિત કરવી નહિ. ૧૫૧. જીભના અગ્રભાગને વિષે લક્ષ્મી વસે છે તથા જીભના અગ્રભાગને વિષે મિત્ર ને બાંધવો રહે છે. તથા જીભના અગ્રભાગને વિષે બંધન પણું રહેલું છે. તેમજ મરણ પણ જીભના અગ્રભાગને વિષેજ રહેલું છે. માટે ઉત્તમ જીવોએ પોતાની જીભને કબજે રાખવી. જેથી કરીને લાભ થાય ને બંધન અને મરણ થવાનો સમય ન આવે. ૧૫ર. મુર્ખ શિષ્યને બોધ કરવાથી તથા દુષ્ટ સ્ત્રીનું ભરણ પોષણ કરવાથી તથા શત્રુઓના સંયોગથી પંડિત પુરુષ પણ સદાય ૧૫૩. કોઈ માણસ સંસારિક સુખમાં આસકત હોય અને પાછો લોકોને મોઢે એમ બોલે કે હું બ્રહ્મજ્ઞ છું. આવા સંસાર કર્મ અને બ્રહ્મ બને થકી ઠગાયેલ માણસને ચંડાલની પેઠે ત્યાગ કરવો. ૧૫૪. જે માણસને પોતાનેજ બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું ઉપકાર કરે અર્થાત્ કાંઈજ નહિ કારણ કે જેમ નેત્ર રહિતને દીપક ઉપકાર કરી શકતો નથી તેમ બુદ્ધિહીનને શાસ્ત્ર ઉપકારકરી શકતું નથી. ૧૫૫. અભિમાન, મુખને વિષે ખરાબ વચન, વિરોધીપણું, વિખવાદપણું,કાર્યને તથા અકાર્યને નહિજાણવાપણુ આ છે મુર્ખતાના ચિન્હો છે. ૧૫૬. મુર્ખ માણસને ઉપદેશ આપવો તે ક્રોધને માટે થાય છે પણ શાંતિ માટે નહિ જેમ દુધનું પાન સર્પોને કેવલવિષને માટે જ થાય છે. તેમ મુખને ઉપદેશ આપવો તેપણ કેવળ ક્રોધને માટે જ થાય છે. ૮3. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy