SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પવિત્રપણું ન હોય તથા મદિરા પાન કરનારને વિષે પ્રેમ ન હોય અને ધૂર્ત માણસને વિષે એ ત્રણે ગુણો હોતા નથી. ૧૨૨. લક્ષ્મી કોના પાસે સ્થિર ભાવને પામી છે. તથારાજા કોનો મિત્ર થયો છે, તથા શરીર કોનુ અમર રહેલું છે, સ્ત્રીઓ કોને આધીન રહેલી છે, આ ચારે કોઈના પણ સ્થિર રહેલા નથી. ૧૨૩. સ્વજન હોય કે દુર્જન હોય પરંતુ તેવા ઘણા મનુષ્યો સાથે વિરોધ કરવો નહિ. કારણ કે જબરજસ્ત એવા નાગૅદ્રને પણ ઘણી કીડીયો મારે છે. ૧૨૪. મદિરાનું પાન, દુર્જન માણસની સોબત, સ્વામીનો વિરહે ઘેર ઘેર ફરવું, ખરાબ સ્વમ તેમજ પરપુરુષને ઘરે વાસ કરવો આ છ સ્ત્રીયોનાં મહાન દુષણો છે. ૧૨૫. મનુષ્યોને ધનની તથા જીવિતવ્યની આશા મોટી છે. તેમાં પણ વૃદ્ધ માણસને યુવાન અવસ્થાવાળી સ્ત્રી પોતાના પ્રાણ થકી અધીક વહાલી હોય છે, આ પણ એક મહામોહની મહાન વિડંબના છે. ૧૨૬. કાષ્ટને વિષે પાષાણને વિષે તેમજ માટીને વિષે દેવ નથી પણ કેવળભાવને વિષેજ દેવ રહેલ છે માટે સર્વમાં જે ભાવ તે મુખ્ય કારણ છે. ૧૨૭. અન્યાય થકી ઉપાર્જન કરેલું દ્રવ્ય દસ વર્ષ સુધી ઘરમાં રહે છે, અગ્યારમું વર્ષ થાય છે કે મૂળ થકી જ વિનાશને જ પામે ૧૨૮. લક્ષ્મીવંત મનુષ્યોએ ક્રોધ કરવો નહિ. તથા તપસ્વી મહાત્માએ મત્સર કરવો નહિ. તથા વિદ્યાયુક્ત મનુષ્યોએ માન અપમાન ગણવાં નહિ તથા સુજ્ઞ જીવોયે આત્માનું પ્રમાદ થકી રક્ષણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy