SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૦૫. નદીના કાંઠાને વિષે જે વૃક્ષો હોય છે તે તથા પારકાના હાથને વિષે રહેલું ધન હોય છે તે તથા સ્ત્રીને જણાવેલું કાર્ય હોય છે તે સર્વ શીપ્રતાથી નાશ પામી જાય છે નિષ્ફળ થાય છે. ૧૦૬. સ્ત્રીઓને આહાર બમણો તથા લજ્જા ચાર ગણી તથા વ્યવસાય છ ગણો તેમજ વિષય કામ આઠ ગણો હોય છે. ૧૦૭. જે ઠેકાણે શ્રોતા જ નથી ત્યાં વકતા શું કરી શકનાર હતો કારણ કે નાગા લોકોના ગામમાં ધોબી શું ધોઈ શકવાનો હતો. ૧૦૮. આયુષ્ય મરણ ભાગ્ય વિદ્યા અને પૈસો આ પાંચ લઇને જ મનુષ્ય ગર્ભાવાસમાં પરભવથી પ્રવેશ કરે છે. ૧૦૯. પ્રાતઃકાળમાં દરેક મનુષ્ય ઉઠીને રોજે ચિંતવના કરવી કે મરણ, વ્યાધિ, શોક મહાભય અને દુઃખ વિગેરે માંથી આજે મને શું પ્રાપ્ત થશે. ૧૧૦. સેંકડો ભયનાં સ્થાનો અને હજારો શોકનાં કારણો દિવસે દિવસે મુઢ માણસોના હૃદયમાં પ્રવેશ કરે છે પણ પંડિતમાં નહિ. ૧૧૧. સ્તબ્ધપણુ, નિદ્રા, આળસ, ભય, ક્રોધ અને દીર્ઘ વ્યાપાર આ છ દોષોને પોતાનું ભલુ ઇચ્છનાર મનુષ્ય ઈહાં ત્યાગ કરવા. ૧૧૨. પાડો, બોકડો, બિલાડો, કાગડોને કાયર પુરુષ અગર દુર્જન. આ સર્વે વિશ્વાસ કરવાથી પરાભવ કરે છે માટે એટલાનો વિશ્વાસ કરવો નહિ. ૧૧૩. જયાં લોકયાત્રા, ભય, લજ્જા,દાક્ષિણ્યતા, અને દાન આ પાંચ ન હોયત્યાં ઉત્તમ પુરુષોએ વાસ કરવો નહિ ૧૧૪. અગ્નિ પાણી વિષ, વ્યાધિ, શસ્ત્ર છીંક, અને પર્વત થકી પડવું વિગેરેમાંથી કોઈ પણ નિમિત્ત પામી પ્રાણીઓ પ્રાણ થકી મુક્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy