SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ નહિ. દુનિયામાં તેજ પાંડિત્યપણું કહેવાય છે કે થોડાને માટે વિશેષનો નાશ ન કરે. ૮૬. જ્યાં સુધી પોતાનો દેહ સ્વસ્થ હોય તથા મરણ પણ જયાં સુધી પોતાનો દેહ સ્વસ્થ હોય તથા મરણ પણ જ્યાં સુધી દુર હોય ત્યાં સુધીમાં આત્માનું હિત કરવું કારણ કે મરણ સમય નજીક આવ્યો આ જીવ શું કરી શકવાનો હતો અર્થાત્ કાંઈ જ નહિ ૮૭. મનમાં ચિંતવન કરેલું કાર્ય સિદ્ધ થયા પહેલાં બીજાની પાસે વચનથી પ્રકાશ કરવું નહિ કારણ કે બીજાએ લક્ષમાં રાખેલ કાર્યની સિદ્ધિ પ્રાયે કરીને થઈ શકતી નથી. ૮૮. ખરાબ દેશ, ખરાબ વૃત્તિ, ખરાબ ભાર્યા, ખરાબ નદી, ખરાબ દ્રવ્ય અને ખરાબ ભોજન આ સર્વેને વિચક્ષણ મનુષ્ય ત્યાગ કરવાં જોઇએ. . કોયલ કાળી છે તો પણ તેનો મધુર સ્વર તે જ રૂપ છે. અને પતિવ્રતાપણું તેજ સ્ત્રીયોનું રૂપ છે. કુરૂપીયોનું રૂપ વિદ્યા છે. અને તપસ્વીયોનું રૂપ ક્ષમા છે. ૯૦. અતિ અભિમાનથી રાવણનું મરણ થયું.અને લંકા નગરી પણ વિનાશ પ્રાય બની તથા અત્યંત માનથી કૌરવોનો પણ નાશ થયો તથા અત્યંત રૂપથી સીતાનું હરણ થયું તથા અત્યંત દાન કરવાથી બલીનું મરણ થયું, માટે જે અતિ તે સર્વ જગ્યાએ વર્જવાનું કહેલ છે. ૯૧. સંસ્કૃત વચનો બોલવા તે દુર્લભ છે, અને કલ્યાણ કરવાવાળો થાયતે યુગ પણ દુર્લભ છે. તથા પોતાના ચિત્તનેસમાધિ થાય તેવા પ્રકારની સ્ત્રી પ્રાપ્ત થવી પણ દુર્લભ છે અને પ્રિય એવા સ્વજન સજજનની પ્રાપ્તિ થવી પણ દુર્લભ છે. ૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy