SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૧. માતા, બેન અને પુત્રીની સાથે એક આસન શય્યા ઉપર ડાહ્યો માણસ બેસે નહિ કારણ કે ઇંદ્રિયોનો સમુહ બલવાન હોવાથી વિદ્વાનના મનને પણ ડોલાવે છે તો બીજાનું શું કહેવું. ૧૨. પરસ્ત્રીની ઈચ્છા ન કરવી સ્ત્રીયોનો વિશ્વાસ ન કરવો સીતાનો અર્થી રાવણ મરાયો અને સ્ત્રીના વિશ્વાસથી વિદુરથ મરાણો. ૧૩. નદીયોનો, હિંસક પ્રાણિયોનો શિગડાવાળા જનાવરોનો, તથા હાથમાં શસ્ત્રોને ધારણ કરનારાઓનો તથા સ્ત્રીઓનો તેમ જ રાજકુળનો વિશ્વાસ કરવો નહિ. ૧૪. મુર્ખ શિષ્યને ઉપદેશ દેવાથી તથા દુષ્ટ સ્ત્રીનું ઉદર પોષણ કરવાથી તથા શ્વેષી માણસના સંયોગથી પંડિત હોય તો પણ પીડા પામે છે માટે તેનો ત્યાગ કરવો. ૧૫. પાંચ માણસના સાથે ગમન કરવાથી તથા પાંચ માણસના સાથે બેસવાથી તથા પાંચ માણસ સાથે બોલવાથી માણસને કોઈ પણ દુઃખ થતું નથી. ૧૬. જીભના અગ્ર ભાગને વિશે લક્ષ્મી વસે છે જીભના અગ્ર ભાગને વિશમિત્રોનાં બાંધવો વસે છે તથા બંધન પણ જીભના અગ્ર ભાગને વિશેજ રહેલું છે અને નિશ્ચય મરણ પણ જીભના અગ્ર ભાગને વિષેજ રહેલું છે માટે જ ઊત્તમ જીવોયે પોતાની જીભ ઉપર બોલવાનો કાબુરાખવો. ૧૭. પોતાના આત્માની બુદ્ધિ ઉપર ચાલવાથી સુખ થાય છે ગુરૂની બુદ્ધિ ઉપર ચાલવાથી વિશેષ લાભ થાય છે પારકાની બુદ્ધિ ઉપર ચાલવાથી વિનાશ થાય છે અને સ્ત્રીની બુદ્ધિ ઉપર ચાલવાથી પ્રલય થાય છે માટે વિચાર કરીને ચાલવું. ૧૮. રણ સંગ્રામ થાય ત્યારે સેવકો જણાય છે દુઃખ આવે ત્યારે ભાઈયોની ખબર પડે છે આપત્તિ પડે ત્યારે મિત્રની ખબર પડે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy