SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ CYપરમાણુનું દૃષ્ટાન્ત ૧૦. O કોઈ દેવ એક સ્તંભને પોતાના પરાક્રમથી લીલા માત્રમાં મેંદો કરતાં પણ બારીક ચૂર્ણ કરી તેને એક નળીમાં ભરી મેરૂ પર્વતના શિખર ઉપર ચડી તે નળીને દેવતા સંબંધી સમગ્ર પરાક્રમથી બધી દિશાઓમાં ફેંકે છે હવે તેરજકણોને ભેગા કરી ફરીથી સ્થંભ બનાવવો મુશ્કેલ છે છતાં પણ કોઈ દેવની સહાય થકી ધારો કે તેમ બને પણ માનવ જન્મથી ભ્રષ્ટ થયેલ પુન્યરહિત માણસ કદાપિ કાળે ફરીથી માનવ જન્મને પામી શકતો નથી. આ દશે દષ્ટાંતે દુર્લભ માનવ જન્મને પામી ધર્મનું આરાધન કરવું તેજ શ્રેયસ્કર છે. સમ્બોધ ઉપર ૨૫૦ સુવાક્ય ) ૧ પરસ્ત્રી પ્રત્યે ગમન કરવામાં તથાપર દ્રવ્યને હરણ કરવામાં તથા પરના ઉપર દ્રોહ કરવામાં જે માણસ પરામુખ હોય છે તેની ચાહના ગંગા નદી કરે છે ને કહે છે કે આવો પવિત્ર માણસ આવી મહારામાં સ્નાન કરી મને કયારે પવિત્ર કરશે આ ઉપરથી સિદ્ધ થાય છે કે પરસ્ત્રી સેવન કરનારા પર દ્રવ્ય હરણકરનાર અને પરના ઉપર દ્રોહ કરનારા માણસ ગંગામાં જઈને સ્નાન કરે છે તો પણ પવિત્ર થતો નથી પણ પરસ્ત્રી પરદ્રવ્ય અને પરદ્રોહ ત્યાગ કરનાર માણસના સ્પર્શથી જ હું પવિત્ર કયારે થઇશ તેમ ગંગા નદી કહે છે. ૨. બ્રાહ્મણની હત્યા કરવી ૧મદિરાનું પાન કરવુ ર ગુરૂની સ્ત્રી પ્રત્યે નમન કરવું. ૩ ચોરી કરવી. ૪ અને આ ઉપરોક્તચોરનો સંગ કરનાર ૫ આ પાંચે મહાપાતકી કહેવાય છે. ૩. સ્ત્રીનો ઘાતક ૧ બાળકનો ઘાતક ર સ્વામિનો ઘાતક ૩ ૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy