SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ભાવાર્થ : મનુષ્ય જન્મને પામી દીન દુઃખિત પ્રાણિઓનો ઉદ્ધાર કર્યો નહિ તથા સાધર્મિક બંધુઓને વિષે પ્રીતિ ભાવ ધારણ કરી વાત્સલ્ય કર્યું નહિ તથા અંતઃકરણને વિષે વીતરાગને ધારણ કર્યા નહિ. હા ! હા ! ઇતિ ખેદે ઉપરોક્ત કાંઈ પણ નહિ કરી શકનાર એવો તે પોતાના માનવ જન્મને હારી ગયો છે. વળી પણ શાસ્ત્રકાર મહારાજે દશ દષ્ટાંતે માનવ જન્મની પ્રાપ્તિ દુર્લભ કહી છે તે દશ દૃષ્ટાંત દેખાડે છે : (માનવજન્મ દુર્લભ તેનાં ઉપર ૧૦ દૃષ્ટાંતો ) ( ભોજનનું દૃષ્ટાંત ૧. TO પ્રસન્ન થયેલ બ્રહ્મદત્ત ચક્રીએ કોઈ બ્રાહ્મણને પોતાના ઉપકારના બદલામાં વચન માગવાનું કહ્યું તારે બ્રાહ્મણે સમગ્ર ભરતખંડમાં ઘર દીઠ ભોજન અને એક એક સોનામહોર દક્ષિણા માગવાથી રાજાએ તેનું વચન કબુલ કર્યું અને પ્રથમ પોતાને જ ઘેરથી ભોજન કરાવી સોના મહોરોની દક્ષિણા આપી. આવી રીતે કરવાથી ફરીથી ઇચ્છવા યોગ્ય ચક્રના ઘરે ભોજન કરવાનો વારો બીજી વાર આવતો નથી છતાં કદાચ ધારો કે તે પણ આવે પરન્તુ માનવભવ થકી ભ્રષ્ટ થયેલ ધર્મ રહિત જીવ ફરીથી માનવ જન્મ પામી શકતો નથી. CT પાસાનું દષ્ટાંત ૨.CO એક રાજાની સભામાં એક હજારને આઠ સ્થંભો છે અને થંભે અંભે એકસો આઠ ખૂણા અગર હાંશો છે. તેને જીતવા માટે તે રાજાને કુળપરંપરાનો એવો રીવાજ છે કે જેને રાજ્ય લેવું હોય તે રાજા સાથે પાસાથી ઘૂત રમવા બેસે અને એકસો ને આઠ વાર જીતે ત્યારે એક સ્થંભ જીતે, એવી રીતે એક હજાર અને આઠ સ્તંભો જીતે ત્યારે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy