SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ વિનાનો ધર્મ કરવાથી પણ શું? તેથી આવી શંકાને વિષે પણ ધોવાનું કબૂલ ન કર્યું, તેથી રાજા લોકોના ભરમાવવાથી રૂષ્ટમાન થયો. અને વિચાર કરવા લાગ્યો કે પ્રાત:કાળે ધોબીને કુટુંબ સહિત મારીશ આવો વિચાર કરનારા રાજાને શૂળ એવી રીતે ઉપડી કે આખા ગામમાં હાહાકાર થઈ ગયો. અને ત્રણ દિવસ વીતી ગયા અને ધર્મના પ્રભાવે ધોબીએ નિયમ સાચવ્યો પડવાને દિવસે લુગડાં ધોઈ રાખ્યાં અને બીજને દિવસે માગવાથીતુરત આપ્યાં. એ પ્રમાણે ધોબીએ નિયમ સાચવ્યો એવીરીતે કોઈ પ્રસંગે તેલ બહુ જોવાથી અને બહુ તેલનો ખપ હોવાથી ચૌદશે વધુ તેલ પીલવાનો હુકમકરવાથી અને નિયમ હોવાથી ઘાંચી ન માનવાથી રાજારૂષ્ટમાન થયો, ને ઘાંચીને કુટુંબ સહિત મારવાની ઇચ્છા કરી તેવામાં પ્રાત:કાળે અપરરાજા ગામના રાજા તથા ભંડાર ઉપર ચડી આવવાથી તેની સાથે યુદ્ધ કરવું પડયું.વિગેરેથી નિયમ સચવાણો, ને ઘાંચીની દઢતા એ પ્રમાણે જળવાઈ રહી. હવે જે કૌટુંબિક હાલિક (ખેડૂતો હતો તેને આઠમનો પૌષધ હતો, અને રાજાયે અકસ્માત ખેતર ખેડવાનો હુકમ કર્યો. પણ હાલિકે તે હુકમ માન્યો નહિ, તેથી ક્રોધ કરી મારવાને ઈરાદો કર્યો, તેવામાં પુષ્કળ વરસાદ પડવાથી નિયમ સચવાણો. એ ત્રણે જણા પોતાના નિયમને દઢતાથી પાળી કાળધર્મને પામી છઠ્ઠાદેવલોકે ચૌદ સાગરોપમના આયુષ્યવાળા દેવો થયા, અને શ્રેષ્ઠી ૧૨ મે દેવલોકે દેવતા થયો, અને પૂર્વના પ્રેમથી અરસપરસ ચારે જણાને મિત્રતાથઈ તેથી ત્રણદેવોએ શ્રેષ્ઠીસુરને કહ્યું કે પૂર્વના પેઠે આગળ ઉપર અમોને બોધ કરજો. એવી રીતે કહેવાથી શ્રેષ્ઠી સુરે તે કબૂલ કર્યું. ત્યારબાદ તે ત્રણે જણનું આયુષ્ય પુરૂ થવાથી ત્રણે જણા દેવલોકથી ચ્યવીને પૃથક પૃથક્ વીર ધીર હીર નામના મોટા રાજાઓ ૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy