SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પદ્માવતીરાણી, સુબુદ્ધિ મંત્રી, ધનદેવ વ્યવહારીઓ અને તેને ધનદત્ત નામે પુત્ર થયો, પરંતુ પૂર્વકૃત અભાગ્યના વશથી બાલ્યાવસ્થામાં તેને પિતા મરણ પામ્યો તે પોતાના પિતાનું ધન વાપરતાં, આઠ વર્ષનો થયો. નીતિશાસ્ત્રને ભણે છે, તેવામાં અયોધ્યાને વિષે ધર્મઘોષસૂરિ સમવસર્યા, લોકો તેમની પાસે ધર્મને સાંભળે છે. ગુરુજી કહે છે કે જેને વિષેદુષ્ટ કર્મનો પ્રયાસ નથી, કુગતિ, કુસ્વામી, કુપુત્ર તેમજ દુર્વાક્ય શ્રવણ કરવાનું નથી. તેમજ રાજાદિકને પ્રણામ કરવાના નથી, જ્યાં અન્ન, પાન અને વસ્ત્રાદિકની ચિંતા નથી, પરંતુ જ્ઞાનની પ્રાપ્તિ છે, લોકોથી પૂજવાપણું છે. શાંતિની છાયા છે, સ્વર્ગમોક્ષની પ્રાપ્તિ છે, આવા પ્રકારના ગુણો સાધુપણામાં છે, માટે તમો શા માટે તે સંયમ મેળવવા ઉદ્યમ કરતા નથી, અને જો સાધુ માર્ગ તમોને દુષ્કર લાગે તો શ્રાવક ધર્મનું આલંબન કરો, આ બંને માર્ગમાં પણ વ્યવહારની શુદ્ધિ યુક્ત શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરવું જોઇએ, એવું સાંભળી ધનદત્તે વિચાર કર્યો કે સાધુ માર્ગનું પ્રતિપાલન કરવું દુષ્કર છે, બ્રહ્મચર્ય પાળવું, લોભ કરવો, વિહાર કરવો, ઠંડી સહન કરવી, ઉષ્ણતા સહેવી, નિરસ આહાર કરવો, ઘર ઘર ભિક્ષા માગવી, પરિષદોને જીતવા, આતાપના લેવી તીવ્ર તપસ્યા કરવી ડાભના સંથારે સૂવું, મરણાંત કષ્ટો સહન કરવાં, આ સાધુ ધર્મ મારાથી પાળી શકાય તેમ નથી, માટે હું વ્યવહાર શુદ્ધ કરીશ, એમચિંતવી ગુરુને કહ્યું કે હું વ્યવહાર શુદ્ધિમાં રહીશ, નિયમ આપો, ગુરુએ કહ્યું કે આ કાર્યમાં પ્રમાદ ન કરવો, પોતાના વચનનું પ્રતિપાલન કરવું, તને ધર્મલાભ હો. આવી રીતે કહેવાથી ઘરે આવી માતાને વાત કરી. માતાએ કહ્યું કે - હે પુત્ર ! દુર્લભ દુષ્કર વ્યવહાર શુદ્ધિ સમ્યફ પ્રકારે પાળવી, દ્રઢતા ધારણ કરવી તેણે કહ્યું કે માતા ! અતિ ૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy