SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તે સાંભળી લઘુ (નાનો) છોકરી, મોટી બુદ્ધિવાળા વૈધે ઉપદેશ કરેલાની પેઠે આજ્ઞા માની આનંદથી મહામહોત્સવ પૂર્વક બહુમાનથી ઉપધાન વહન કરવા ઉજમાળ થયો અને ઉપધાનને યથાકથિત વહન કર્યા. મોટા છોકરાએ સંસારમાં વૃદ્ધ થઇને પૌષધ ઉપવાસાદિદુષ્કર્મ માની, નિર્ધ્વસ પરિણામી થઈ,લજ્જાને ત્યાગી, “પ્રથમથી જ હું અખ્ખલિતપણે ભણેલો છું.' હાલમાં વિધિ અનુષ્ઠાન કરવાથી શું ? દુષ્કરતપથી કાયશોષણ કરવાથી શું ફાયદો છે? એમ માની, ઉપધાન તપનો આદર ન કર્યો ઉપધાન તપ કરવા માટે માતા, પિતા, ભાઈ તેમજ કુટુંબી વર્ગે બહુ પ્રેરણા કર્યા છતા પણ ગળીયા બળદની પેઠે ઉપધાન વહન ન કર્યા.અહો ! અહો ! પ્રમાદ મદિરાથી અત્યંત ઘેરાયેલ એવા ધર્મિષ્ટ માણસોને પણ ધિક્કાર થાઓ કેસમ્યફ પ્રકારે ધર્મ વિધિને વિષે પંડિત પુરૂષો પણ અગ્નિથી બળેલાની પેઠે ઉપધાન તપની આરાધના કરવામાં ઉજમાળ થતા નથી. એવી રીતે શ્રાવક ધર્મનું આરાધન કરતાં છતાં પણ મોટા છોકરાએ ઉપધાન તપની અવહેલના કરવાથી અત્યંત ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું. બન્ને જણા ધર્મ પાળી, પ્રથમ દેવલોકે દેવસુખ ભોગવી, ત્યાંથી અવી મહાવિદેહ ક્ષેત્રને વિષે શેઠીયાના કુળમાં યુગલપણે ઉત્પન્ન થયા. તેના દેવદત્ત નેગુરૂદત્ત એવાં નામ પાડયાં, તેમાં મોટો પૂર્વ કર્મના દોષથીત મૂર્ણ થયો. નાનો જ્ઞાની અને બુદ્ધિવાળો થયો. પિતાએ બન્નેને ઉપાધ્યાય પાસે ભણવા મૂક્યા. મોટાને ઉષ્ણ પાત્રમાં જેમ પાણીનું બિંદુ માત્ર પણ ન ટકે તેમ બહુ ઉપાયથી પણ કાષ્ટના પુતળાની પેઠે એક દસ્કત પણ ના આવડ્યો. તેમજ પિત્રાદિકે મંત્ર, તંત્ર જંત્ર ઔષધ,દેવતાનું આરાધન કરી પ્રશ્ન પૃચ્છા વિગેરે કરવા છતાં પણ નવકાર મંત્રનું એક પદ પણ ન આવડયું અને નાનો બુદ્ધિમાં ૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy