SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ દુઃખોની પ્રાપ્તિ થઈ આવું ગુરૂમુખથી સાંભળવાથી બન્નેને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારબાદ બાર બાર દ્રમના પ્રાયશ્ચિતપદે હજાર હજાર ગણું દ્રવ્ય ઉત્પન્ન થાય કે જ્ઞાન ખાતે તથા સાધારણ ખાતે તરત આપવું એવો નિયમ લીધો ત્યારબાદ બન્નેને પૂર્વકર્મનો ક્ષણ થવાથી બહુ ધન મળવા લાગ્યું. તેથી હજાર ગણુ આપ્યું અનુક્રમે બારબાર ક્રોડ સુવર્ણના ધણી થયા મોટા શ્રાવકો થયા. જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું રક્ષણ કરવા માંડયા ત્યારબાદ શ્રાવકપણે પાળી બંનેયે દીક્ષા લીધી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા જ્ઞાન દ્રવ્ય અને સાધારણદ્રવ્યનું રક્ષણ કરવાથી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે. ચાલુ કાળમાં દેવદ્રવ્ય અને ધર્મદ્રવ્યને હોઈયાકરવાની જેમની ટેવ છે તેમણે આ દ્રષ્ટાંતને મનન કરી સમજવું જોઇએ. OT શ્રાવક્ષેને ઉપધાન ક્રવા વિષે ક્યાO ચર્માપુરી નગરીને વિષે પરમાહિત્ શ્રેષ્ઠીના બે પુત્રો ઋષભદત્તને જિનદત્ત નામના હતા. પિતાએ બન્નેને નવકાર મંત્ર ભણાવ્યા, જયારે તપ અને પૌષધ કરવા લાયક બને થયા ત્યારે પિતાએ કહ્યું કે હે પુત્રો ? એકાગ્ર ચિત્તથી સમ્યફ પ્રકારે સૂત્રના આરાધનને માટે ઉપધાન તપ કરો કહ્યું છે કે શ્રદ્ધાળુ જીવ વિધિપૂર્વક સદ્ધર્મ શક્તિ અનુસાર કરે અને દ્રવ્યાદિકનું નહિપણું છતાં પણ ધર્મકર્મમાં પક્ષપાત ધારણ કરે એટલે કેલક્ષ્મી રહિત હોય તો પણ ધર્મ કર્મ ચૂકે નહિ. કહ્યું છે કેઃ आसन्नसिद्धिआणं विहिपरिणामो उ होई सयाकालं । विहिचाउ अविहिभत्ती, अभव्वजिअ दुरभव्वाणं ॥१॥ ભાવાર્થ : નજીકમાં સિદ્ધિ વરનાર જીવોને સદાકાળ વિધિ પરિણામ હોય છે અને વિધિત્યાગ અને અવિધિએ ભક્ત અભવ્ય થતા દુર્ભવ્ય જીવોને હોય છે. ૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy