SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કે હે સ્વામિન્ ! લોભ વડે કરીને પરાભવ પમાય છે અને તેથી જ તું રાત્રિદિવસ ભારને જ વહન કર્યા કરે છે. તારા ઘરમાં ત્રણ લાખ દ્રવ્ય તો ભૂમિને વિષેદાટેલું છે, છતાં પણ તું તેનો ઉપયોગ નહિ કરતાં, ભોગ્ય ધનને વ્યર્થ ગુમાવી શા માટે કષ્ટ કરે છે? તારા પૂર્વજો તો ત્રણ લાખ દ્રમ્મને મુકીને ગયા.તેણે તેમાંથી શું સાધ્યું? અને તું પણ આ વૈભવને મુકીને જઇશ, માટે તારા જિવિતવ્યને ધિક્કાર છે ! આ પ્રકારના પોતાની સ્ત્રીનાં વચનો સાંભળી ખેદ પામેલાને ફરીથી તેની સ્ત્રીએ કહ્યું કે-તું નિસાસો શાને માટે નાંખે છે? શું નિધાનનું ધન તારું નષ્ટ થઈ ગયું? અગર તે કંઈ લોભ કરીને વ્યાપાર કરવાથી તે તારૂં ધન ખોઈ નાખ્યું છે ? એટલે તેના સ્વામી ધનરાજ બોલ્યો કે – હે મુગ્ધ ! હે ભોળી ! ધનથી લોકોમાં પૂજા પાત્રથવાય છે, ધનથી જગતમાં મિત્રાઇ થાય છે, તો મરણ પામેલાની સદશ નિર્ધન પુરુષ વડે કરીને શું ? આજે તે ઘરમાં ભિક્ષા માગવા આવેલા બ્રાહ્મણને ચણાની મુઠી આપી તેથી હું મારા દિલમાં બહુજ દુભા છું. ત્યારબાદ પતિના ચિત્તને અનુસરનારી તેણીએ કહ્યું કે નહિ આપું. પરંતુપૈસાના વ્યય વિના પણ તું કાંઈ ધર્મ કરણીને કર, તું જગતના બંધવ એવા જિનેશ્વર મહારાજને નમસ્કાર કર, તું સુસાધુને વંદના કર, તારૂં મન નિર્મલ કરી સાધુ પાસે જઈને ધર્મ શ્રવણ કર.હે નાથ ! બન્ને પ્રકારે અનર્થ કરનાર એવા પૈસાના અંદર લોભી થઈ, તું બન્ને લોકને વિષે હિત કરનાર ધર્મને વિષે શા માટે તારી બુદ્ધિને જોડતો નથી ? આવા પ્રકારના પોતાની સ્ત્રીના વચનને સાંભળીને, કાંઈક તેની વાણી પ્રમાણભૂત માનીને તે પોતાની સ્ત્રી પ્રત્યે કહેવા લાગ્યો. મુનિયોને હું નમસ્કાર નહિ કરું, કારણ કે મને આંગળી વડે ૧૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy