SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ શીખી શકે છે. આવું જાણી સુજ્ઞ ભવ્ય જીવે શુભ કાર્યો કરવાનો અભ્યાસ પાડી સંસારતરવારૂપ ભાવ શ્રાવકપણું અંગીકાર કરવા કહ્યું છે કે कयवयकम्मो तह सीलवं च गुणवं च उच्चुववहारी । गुरुसुस्सूसो पवयकुसलो खलु सावगो भावे ॥१॥ ભાવાર્થ : વ્રતોનું સેવન કરનાર શીયળવાન ગુણવાન સરલ વ્યવહારવાળો, ગુરૂમહારાજની શુશ્રુષા કરનાર, તથા પ્રવચન કુશળ હોય,તેજ નિશ્ચય ભાવ શ્રાવક કહેવાય છે. परचित्तणुवत्तीए, धम्ममधम्मं अधम्ममवि धम्मं । न भणंति भावसदा, भणंति सच्चं च महुरं च ॥१॥ ભાવાર્થ : અન્યમનુષ્યના ચિત્તને અનુસરી ભાવ શ્રાવકો કદાપિ કાળે ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ કહેતા નથી, પરંતુ સત્ય અને મધુર વચન બોલે છે. कयविकयसहीसुवि, उणब्भहियं कहिंति महु अग्धं । सक्खत्ते वि निउत्ता, न अन्नहा वाइणो हुंति ॥२॥ ભાવાર્થ : લેવડ દેવડ વ્યાપારાદિકના કર્મોને વિષે પણ વસ્તુને કોઈ દિવસ ન્યૂનાધિક કહેતા નથી, તથા સાક્ષી પૂરાવાની અંદર જોડાવાથી પણ ઉત્તમ પુરૂષો કદાપિ કાળે અસત્ય વચનને બોલતા નથી. चउव्विहा सावगा पन्नता तं जहा अम्मापिय समाणे १ भाई समाणे २ मित्त समाणे ३ सवत्ति समाणे ४ अहवा चउविहा सावगा पन्नता तं जहा आयंस समाणे १ पडाग समाणे २ थाणु समाणे ३ खरंट समाणे ४ ભાવાર્થ : ઠાણાંગજી સૂત્રને વિષે શ્રીમાનું શાસ્ત્રકાર મહારાજાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy