SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પરોપકાર કરનારો હોય, મિથ્યાત્વી દેવદેવીની માનતા ઉપાસના અનુમોદનાનો પરિહારી હોય, તેમજ મિથ્યાત્વીના ધર્મકાર્યોની પ્રશંસા તથા તેના સંગનો વર્જક હોય, સરલતા, શાંતતા, મૃદુતાદિક ગુણોથી શોભિત તેમજ દુર્જનના કુંસગનો ત્યાગ હોય, અઢાર પાપસ્થાનોને ધિક્કારનાર વૈરાગી સંવેગના રંગવાળો હોય પરગુણોને ગ્રહણ કરી પરદોષોની ઉપેક્ષા કરનાર તથા પરના ગુણોને બોલી પોતાના આત્માના દોષોને પ્રગટ કરનાર તેમજ આત્મ નિંદા કરનાર હોય, મૂર્ખ, નિંદક દુર્જન દુષ્ટ, છળ, પ્રપંચી, વિશ્વાસઘાતી અનેદેવ ગુરૂધર્મના નિંદકોનો પરિહારી ધર્મધ્વંસનો તિરસ્કાર કરી તેનાથી સર્વથા અલગ રહેનાર હોય, સંસારથી ઉદાસીન ભાવનાનો ધારણ કરી કારાગૃહ સમાન માની દુનીયાના જીવોને પરમ બંધવભૂત થઈ કરૂણાનો સમુદ્ર હોય, દાની માની યશસ્વી થઈ પુન્યના કામો કરતો દિવસોને વ્યતીત કરનારો હોય અને પોતાના જૈન માર્ગના મતથી કદાપિકાળે ડગનાર ન હોય તેજ સાચો શ્રાવક કહેવાય છે. શ્રાવકોની રૂચીમાં શ્રદ્ધામાં જો ફેરફાર હોય તો તે શોચનીય છે. પૂરજોસમાં વહેનારી મિથ્યાત્વની પ્રબળ ચેષ્ટાને વિનાશ કરવાવાળી તથા કુમતિ કદાગ્રહને દૂર કરનારી એવી સન્મતિ શાસનની અધિષ્ઠાયક દેવી શ્રાવકોને આપો કે જેથી કરી તેઓ સાચા શ્રાવકો થઇ સદ્ગતિના ભોક્તા થાય. ઠાણાંગસૂત્રમાં શ્રાવકોનું વર્ણન તથા અનેક પુસ્તકોમાં અનેક પ્રકારનું વર્ણન કરેલું છે તે મનન કરવા ભલામણ છે. Cશ્રાવકોના શૃંગારો તથા નિત્યની રણી) વળી પણ શ્રાવકના શૃંગાર તથા પ્રતિદિનની કરણીનું શાસ્ત્રકાર મહારાજા કથન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy