SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ કરી જઇ જાત નોકારશીમાં ફાંટીયા પાડેલા છે.પાડે છે ભવિષ્યમાં પણ પાડશે તો સ્વપરને બાધા નહિ થવા દેવાને માટે શ્રાવકો દેવદ્રવ્યની આપ લે શ્રાવકને ન કરે ત્યારે જ બહુ સારું કહેવાય. ૯. કેટલાક લોકો દેવદ્રવ્ય લીધા પછી નહિ આપવાની દાનતથી ખાય પીયે પહેરે ઓઢે કમાય ઘરબાર હાટ હવેલી દાગીના કરાવવા છતાં છોડીયો છોકરાને પરણાવતાં છતાં આપણા પરિયાણા કરવા છતાં ઉઘરાણી કરનારાને કહે છે તે તારા બાપના પૈસા નથી ફલાણા પાસેથી તો લે અમારી પાસે નથી આવશે ત્યારે આપી દઇશુ અમે દેરાસરજીના પૈસા ખાઈ જવાના નથી વ્યાજ સહિત આના પાઈ સાથે આપવાના છીએ, આવું બોલી જિંદગી સુધી આપતા નથી તે ઠીક નથી, માટે આટલા બધા કલેશમાં ઉતરી કર્મબંધ નહિ કરવા દેવદ્રવ્ય વ્યાજે લે નહિ ત્યારે જ બહુ જ સારું કહેવાય. ૧૦. કેટલાક અણસમજુ શ્રાવકો પ્રભુના વચનને નહિ માનતા દેરાસરજીમાંથી પૈસા ઘરેણાં ગાંઠા આંગી મુગુટ પાખર સિદ્ધ ચક્રાદિકની ચોરી અનંત સંસાર ઉપાર્જન કરે છે, તો તેમ નહિ કરતાં ને પૈસાથી પેટ નહિ ભરતાં ધનવાન થવાની આશા નહિ રાખતાં દેવદ્રવ્ય નહિ લેતાં અને ભિક્ષા માગીને ખાવાનું પસંદ કરે ત્યારે જ બહુ સારું કહેવાય. ૧૧. દેવદ્રવ્ય પ્રમાણે જ્ઞાનદ્રવ્ય સાધારણદ્રવ્ય પુન્યદ્રવ્ય ધર્મદ્રવ્ય આંબિલના, પૂજાના, પ્રભાવનાના, પારણાના, અત્તરવારણાના, સંઘના સ્વામી વાત્સલ્યના, નોકારશીના, ધી, દુધ, દીપ, ફલના, જીવદયાના, ખોડા ઢોર પાંજરાપોળના, વિગેરે ઘણા પ્રકારના ધર્માદાના પૈસા ખાઈ ગયેલાને આ લેખકે ઘણા ગામોમાં પ્રત્યક્ષ દેખેલા છે એટલું જ નહિ પણ ઉપરોક્ત દ્રવ્યનહિ ખાવા બગાડવા M૧૩૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy