SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ - શીખવશે માટે સાવધ થઈ તે રાક્ષસથી તુ અલગ રહેજે નહિ તો તારું આવી બન્યું. ૪૬. તું જે જે કાર્યો કરે તે લોકોને બતાવવા માટે કરીશ નહિ પરંતુ જેમાં આત્મકલ્યાણ રહેલું છે, એ આત્મકલ્યાણ માટે જ માર્ગાનુસારી તેમજ વીતરાગને માન્ય એહવા કાર્યો કરજે, લોકને દેખાડવાથી કરેલા કાર્યથી તારો દિવસ વળવાનો નથી. તુ એકલો હોય કે મનુષ્યના ટોળામાં હોય ગામમાં હોય કે વગડામાં હોય પણ ખરાભાવથી એક જ ચિત્તથી શુદ્ધ ધર્મનાં કરેલા શુદ્ધ કાર્યો મહાકલ્યાણ કરવાવાળાં થશે. ૪૭. તારા હૃદયમાં જો વૈરાગ્ય વાસનાને ધારણ કરીશ ત્યારેજ તને જગતના સર્વ જીવો ઉપર પ્રેમ અને સમાન ભાવ પ્રગટ થશે, અને દુર્ગુણો દુર થવાથી મહારા સહારાનો પ્રપંચ વિનાશ પામશે. અપયશ અપવાદનો ભય દુર ચલાયમાન થશે. ચિત્તની શાન્તિ થવાથી આત્મા નિર્મળ થશે પછી તને યશ-પુન્ય લાભ ધર્મની વૃદ્ધ થવાથી પાપકર્મનો અટકાવ થશે દેવદેવેંદ્ર ચક્રવર્તિ અને તીર્થકરાદિકની પદવી મળશે પછી મુક્તિ મળવી તને દુર્લભ દુષ્કર નથી. ૪૮. રે મૂર્ખ જીવ ! તું કાંઈક સમજ અને પરમાં પ્રવેશ કરવો છોડી દે કારણ કે પરમાં પેસવાથી લાભને બદલે તાહરે હશે તેનો નાશ થશે. ૪૯. વિશ્વાસઘાત કરી વિશ્વાસને છેતરવાના સમાન બીજુ એક પણ ઘોર પાપ કર્મ નથી માટે તેનાથી પાછો હઠી નિર્મલ ચિત્ત ધારણ કર. ૫૦. ધર્મ ઢોંગનો ત્યાગ કર, કારણ કે તે તારો આ લોકમાં તિરસ્કાર કરાવી પરલોકમાં નરકની અંદર તને લઇ જશે. ૧૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy