SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૧. શ્રાવકપણાનું નામ ધારણ કરી પરમાત્માની પૂજા વિસારી દેવી તેના સમાન જીવોને બીજું એકપણ ગાંડાપણુ નથી. ૧૨. શ્રાવકપણાનુ નામ ધારણ કરી સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વ્રત, પ્રત્યાખ્યાન, જ્ઞાન, ધ્યાન વિગેરે ધર્મ આરાધનને ત્યાગ કરવું તેના સમાન દુનીયાના જીવોનું બીજુ એક પણ મુર્ણપણુ નથી. ૧૩. શ્રાવકપણાનું નામ ધરાવી સુદેવ સુગુરૂ સુધર્મ ઉપરથી શ્રદ્ધા ઉઠાડી કુદેવકુગુરુ કુધર્મ ધારી દેવગુરુ ધર્મ ઉપર આળ કલંકાદિક ચડાવવા તેને નિંદવા, ભાંડવા, દંડવા, ખંડવા, વગોવવા અને તેમને હલકા પાડવા તથા પોતે માન મેળવવા અસત્ય આપક્ષો તેમના ઉપર કરી. તેમને ખરાબ કરવા તેનાં ઉપર વૈરભાવ ધારણ કરવું. તેમના ગુણોને ઢાંકી દઈ હલકા પ્રકટ કરવા અનેક પ્રકારના પ્રપંચો ઉભા કરવા તેમજ તેમના ઉપર કઠોર વચનોનો વરસાદ વરસાવવો તેના સમાન સંસારમાં પરિભ્રમણ કરવાનું એક પણ બીજું પ્રચંડ કારણ નથી. ૧૪. દયામય ધર્મનો ત્યાગ કરી પાપમય ધર્મમાં પ્રીતિ કરવી તેની સમાન બીજુ એકપણ આત્માનું જડપણું નથી. ૧૫. શ્રાવકપણાનું નામ ધરાવી કંદમુળનું ભક્ષણ કરવું. રિંગણાદિકનું ભક્ષણ કરવું. અભક્ષ્ય અનંતકાયનું ભક્ષણ કરવું. રાત્રિ ભોજનનું સેવન કરવું, પરસ્ત્રી પ્રત્યે લંપટ થવું, વેશ્યાદિક પ્રત્યે ગમન કરવું. માંસ, મદિરા, મધ, માખણનું ભક્ષણ કરવું, ચોરી ચુગલી કરવી તેના સમાન બીજુ એક પણ નરકનું બારણુ નથી. તેના સમાન સંસાર વૃદ્ધિનું બીજુ એકપણ કારણ નથી માટે જૈન નામ ધારી શ્રાવકવર્ગે ખાસ કરીને એ ઉપરોક્ત કથન કરેલ અવશ્ય ત્યાગ કરવો જોઇએ. ૧૬. સત્ય વસ્તુના સ્વીકાર સમાન બીજુ એક પણ ડહાપણ નથી. ૧૨૦ ૧૨૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy