SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ તેનો નિત્યનો અન્ન જેવો ખોરાક છે અને દ્રાક્ષના જેવો જોર જુલમ કરવા રૂપ તેનો મીઠો અમૃતરસ છે તેવા પ્રકારના અન્નપાન કરનારાઓના પડછાયાથી તું દુર રહે તેમજઅંધકારમાં તે દુષ્ટ માર્ગને જલાંજલી આપી સ્વમાંતરમાં પણ તું યાદ ન કર કિંબહુના તારૂં સઘળું અંગ તું તેનાથી દુર રાખ. ૮. હે પુત્ર મારૂં બોલવું સાંભળ મારા વચનો તું તારા કાનમાં સ્થિરતાથી ધારણ કરે અને અંત:કરણમાં વિવેક ધારણ કરી વિદ્યાને હોઠે ધારણ કર કે જેના પ્રભાવથી તને શુદ્ધિ પ્રાપ્ત થશે તેથીકરી મારૂં વચન તને તુરત રૂચિકર થશે. ૯. હે પુત્ર પરનારીના હોઠમાંથી મધ અને અમૃત ઝરે છે તથા તેનું મુખ માખણ કરતાં પણ સુંવાળું છે એવું દેખાય છે, પરંતુ તે પરિણામ કિંપાક વૃક્ષના ફળના જેવું દેખાવમાં મધુર અને પરિણામે મહાન દારૂણ ભયંકર અને મરણને આપનારું છે માટે તે પરસ્ત્રીના પ્યારમાં કદાપિ કાળે પડીશ નહિ, એટલું જ નહિ પરંતુ તું તેનો પડછાયો પણ લઇશ નહિ. ૧૦. હે પુત્ર જો તું પરસ્ત્રીના ઘરની નજીક જઈશ તો તારી આબરૂનું પાણી થશે તારા વર્ષો ઘાતકીઓના જેવાં પાપિષ્ટ ગણાશે તારું માંસ રૂધિર બીજાને જવાથી તથા તું બળહીન થવાથી મરતી વખતે તારે બુરે હવાલે દુર્ગતિનું શરણ લેવું પડશે અને પરમાધામીની માર સહન કરવી પડશે માટે તું તારી સ્ત્રીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીના પ્યારને જલાંજલી દે. ૧૧. હે પુત્ર પરસ્ત્રીની દુષ્ટતામાં જે જે ફસાયા છે તેનો અંત દુષ્ટતાભર્યો જ આવેલ છે માટે મારા વ્હાલા પુત્ર કાળી નાગણીથી જેમ તું ડરીને દૂર ભાગે છે તેમ પરસ્ત્રીથી પણ ભય પામી દૂર નાશી જા. ૯૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy