SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તીક્ષ્ણ શીંગડા વડે કરીને, પગ વડે કરીને, ખુર વડે કરીને, મુખ વડે કરીને, કમ્મરમાં, પગમાં ઘર્ષણ કરી સાધુને પૃથ્વી ઉપર પાડયા. તેના ઉપર પગ મૂકયા તથાપિ તે ધ્યાનથી ચલાયમાન ન થયા, કારણ કે મહાસત્ત્વ વાળા શ્રાવકો ઉપસર્ગથકી પણ ચલાયમાન થતા નથી, તો પછી સાધુઓનું શું કહેવું ? તે માટે ઉપદેશ માલામાં કહ્યું છે કે देवेहिं कामदेवो, गिही नवि चालिओ तवगुणेहिं । मत्तभुयंगमरकस घोराटट्टहासेहिं 11211 ભાવાર્થ : ધ્યાનારૂઢ થયેલ કામદેવ ગૃહસ્થને દેવતાએ મદોન્મત સર્પ, હાથી,રાક્ષસનાં ઘોર અટ્ટ હાસ્યથી ઉપદ્રવ કર્યો પણ ચલાયમાન ન થયો. પ્રાતઃ કાળે ઉપસર્ગ શાંત થયો, ત્યારબાદ સંધ્યાને વિષે ફરીથી પણ એક ભેંશ આવી અને તેનો એક પાલક આવીને મુનિને કહે છે કે ‘હે સાધુ ! દૂર જા દૂર ! મારી ભેંશ મારકણી છે તે તને મારશે' એમ કહી આરા વડે કરી માર માર્યા. ત્યારબાદ ત્રીજે દિવસે બહુ ભેંશો મળી સાધુને ઉપદ્રવ કરે છે. ચોથે દિવસે ભેંશ મનુષ્યની ભાષામાં બોલી કે‘હે સાધુ ! તું સ્તનપાન કર, મારૂં દૂધ પી' એમ કરી કદર્થના કરી. આવી રીતે ઉપદ્રવ કરી. પંદર દિવસો વ્યતીત કર્યા ત્યારબાદ લોકો પણ આ રાક્ષસ છે, પિશાચ છે, પ્રેત છે, એમ બોલી નિરંતર મુનિને કદર્શના કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન મહાવીર મહારાજા પાસે આવ્યા અને ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. આ ભવથી સો મે ભવે તું ગોવાળીયાનો બાળક હતો અને મહારાજની ગાયો, ભેંસો, બકરીઓ ચા૨વાને માટે તું જતો હતો. ત્યાં એક ભેંશ દુષ્ટ છે. તે ધીમે ધીમે ચાલે છે તેને આરા વડે કરી, દંડ વડે કરી તું કદર્થના કરતો. દૂધનું પાન કરતો, ધણી પાસે એમ કહેતો હતો કે આ દૂધ વિનાની નિર્દુગ્ધા ભેંશ છે. પ્રસવ સમયે તેની પાડી બીજાને Jain Education International ૮૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy