SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેમજ જિનેશ્વર મહારાજની કરેલી પૂજા છે, તે સ્વર્ગ અને અપવર્ગની મોક્ષની પદવી આપે છે, જિનેશ્વર મહારાજની પૂજા કરવાથી રાવણ તથા વાલી રાજા તથા દેવપાલ તથા કુમારપાલ વિગેરે સુગતિના ભોકતા થયા છે. રાવણે જિન પૂજાથી તીર્થકર ગોત્ર બાંધ્યું છે માટે ભવિષ્યમાં મોશે જઈને સુખી થશે. 11 વાલી રાજર્ષિની ક્યા છે એકદા પ્રસ્તાવે લંકાનગરીથી, વૈતાઢય પર્વતે જવાની ઇચ્છા કરનાર રાવણ વિમાનમાં બેસી પોતાના પરિવાર સહિત ચાલ્યો, અને અષ્ટાપદ પર્વત ઉપર ચાલતો હતો. તેવામાં વિમાન ખલના પામ્યું. તે દેખીને ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા વાલી મુનિને દેખીને પૂર્વ વૈરનું સ્મરણ કરીને અત્યંત ક્રોધ પામ્યો ને વિચાર કરવા લાગ્યો કે અહો ! આ તપસ્વી સાધુએ હજી સુધી પણ મારા ઉપરથી મત્સર છોડેલ નથી ને તેથી જ મારું વિમાન થંભાવી દીધું છે, માટે તેને હું પર્વત સહિત ઉપાડીને સમુદ્રમાં ફેંકી દઉં, એવી ઇચ્છા કરી, પર્વતને ઉપાડી નાંખી દેવાની ઇચ્છાથી રાવણ પર્વતની નીચે જઇને પર્વતની મુખશિલાને જોવામાં છેદી નાખે છે તેવામાં વાલિમુનિ પણ પર્વતના ઉચ્છેદ કરનારા રાવણને જાણીને ચિંતવના કરે છે, કે પર્વતને ફેંકવાથી મારા મરણની મને ચિંતા નથી, પણ પુરાતન જગતના જનોથી પવિત્ર આ તીર્થનો ઉચ્છેદ થશે, તેકારણમાટે આ તીર્થનું રક્ષણ કરવાથી મને મહાન લાભ થશે, એવો વિચાર કરી, વાલીમુનિ તેને શિક્ષા માત્ર કરવા માટે તેને મસ્તકે રહેલા પર્વતના શિખરને પોતાના ડાબા પગના અંગુઠાથી દબાવ્યો, તેથી તુરત તે પર્વતના ભાર નીચે આવેલી રાવણ ની કમ્મર ડોક વિગેરે ભાગવાથી રાવણ અત્યંત આક્રંદ કરવા લાગ્યો. તેના અરકારના શબ્દને સાંભળી, વાલી મુનિએ પણ દયાથી પગનો અંગુઠો ઉપાડી લેવાથી 9૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy