SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એકતાનવાળા તે પાપિષ્ટ જીવે ઘણો સંસાર ઉપાર્જન કર્યો. અને અરિહંત તેમજ સાધુના ગુણગ્રામ કરવાથી સુબુદ્ધિ મંત્રી ઇહલોકે તથા પરલોકે મહાન સુખનો નિધિ થયો. પૂજા વિષે વાલી રાજાની ક્યા કિષ્કિંધા નગરીને વિષે વાલી રાજા રાજ્ય કરતો હતો. તેણે ત્રિકાળ દેવપૂજા કરવાનો નિયમ ગ્રહણ કરતો હતો. તેણે ત્રિકાળ દેવપૂજા કરવાનો નિયમ ગ્રહણ કરેલ હોવાથી, દેવગુરૂ સિવાય કોઈને તે નમતો નહોતો. આવા પ્રકારનો તેનો સભા પ્રસંગે નિયમ સાંભળી રાવણને રોષ ચડયો તેથી જબરજસ્ત સૈન્ય લઇને રાવણ તે નહિ નમનાર વાલી રાજાને યુદ્ધ કરવાબોલાવ્યો. વાલીએ પણ જિનેશ્વર મહારાજને પૂજી યુદ્ધ કરવાનું કબૂલ કર્યું. પૂર્વાન્તકાળે કાળવેલાયે બંને સૈન્યનું યુદ્ધ થયે છતે વાલીએ ચંદ્રહાસ ખડ્ગ સહિત રાવણને કાખમાં ઘાલી મેરૂ પર્વતે દેવોનેનમસ્કાર કરી, તથા બીજા પણ તીર્થને વિષે દેવનો નમસ્કાર કરી જંબુદ્વીપને ત્રણ પ્રદક્ષિણા કરી રણક્ષેત્રમાં આવી કાખમાંથી તેને ખેંચી, પર્વતને પણ તોડી નાંખે તેવા ચંદ્રહાસ ખડગને હરણ કરી, કહ્યું કે રણસંગ્રામ કરવા તૈયાર થા. તેને પ્રણામને કરાવવાવાળા લંકેશને વિલક્ષણ ચિત્તવાળો જાણી વૈરાગ્યથી વાલીએ રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી, અને સુગતિભાગ થયા. स्वर्गपवर्गपदवी विहिता जिनार्चा, शस्यश्रियं जलदवृष्टिरिव प्रसूते, जग्मुर्नराधिपतयः सुगतितयैव, पौलस्त्यवालिनृप देवकुमारपाला 11211 ભાવાર્થ : જેમ મેઘની વૃષ્ટિ ધાન્યની લક્ષ્મીને ઉત્પન્ન કરે છે, Jain Education International 93 : For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy