SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાવણ પર્વતની નીચેથી નીકળીને, તે મુનિને ખમાવીને તેના પગમાં પડયો વાલિ મુનિ પણ તેના પાસે તીર્થના પ્રભાવને પ્રકાશીને, તેને શુદ્ધ સમ્યકત્વ આપી બીજી જગ્યાએ વિહાર કરી ગયા. ત્યારબાદ રાવણે શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર શ્રી ભરત મહારાજાએ કરાવેલા ચોવીશ જિનેશ્વર મહારાજના માનપ્રમાણ તેમની પ્રતિમાવાળા પ્રસાદોમાં ઋષભાદિક જિનેશ્વર મહારાજાદિકની મહાન પૂજા કરીને મંદોદરી આદિ સોળ હજાર સ્ત્રીઓના સાથે નાટારંભ કરતાં વીણાની તાંત તૂટવાથી જિનેશ્વર મહારાજના ગુણગાન કરવાના રંગમાં ભંગ થવાના ભયથી પોતાના હાથની નસ ખેંચીને તે તંતી સાથે સાંધી દીધી, તેથી શ્રી જિનેશ્વર પ્રત્યેની અત્યંત ભક્તિથી તેણે તીર્થકર ગોત્ર ઉપાર્જન કર્યું અને મહાવિદેહ ક્ષેત્રમાં તે તીર્થકર થશે. (જિનેશ્વરની આડા આરાધવાના અને વિરાધવાના ફલો) जह चेच मोक्ख फलया, आणा आराहिया जिणिंदाणं । संसारदुखफलया, तह चेव विरहिया होइ ॥१॥ ભાવાર્થ : આરાધના કરેલી જિનેશ્વર મહારાજની આજ્ઞા જે પ્રકારે મનુષ્યોને મોક્ષફલ આપનારી થાય છે, તેજ પ્રકારે વિરાધના કરેલી જિનેશ્વર મહારાજની આજ્ઞા મનુષ્યોને ઘોર સંસારના દુઃખો આપનારી થાય છે, અર્થાત્ આરાધના કરવાથી મુક્તિ અને વિરાધના કરવાથી દીર્ઘ સંસાર પ્રાપ્ત થાય છે. આપણે ન સમજીયે તો આપણી ભૂલ પણ આપણને પગલે પગલે ચેતવવા માટે તો કરૂણાના સમુદ્ર ભગવાન મહાવીર મહારાજાએ પ્રયત્ન કરવામાં તો કાંઈ ઉણપ રાખી નથી, બીજું કાંઈ ન થાય તો તેની આજ્ઞાનું સચોટ આપણને રૂચવાપણું થાય તો પણ તરવાપણું છે, નહિ તો ડુબવાનું આપણે માટે સરજાયેલું જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy