SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કૌતુકી રાજાએ કહ્યું કે કેવી રીતે ! તે વાત સાંભળી પુરોહિતે કહ્યું કેહજી સુધી પણ તેના મસ્તકના ઉપર ઇંડોહીની (ઇંઢોણી) રહેલી છે તે સ્પષ્ટ દેખાય છે. એવા પ્રકારના વચનો સાંભળી મુખને વક્ર કરીને રહેલ સુબુદ્ધિ મંત્રીને કહ્યું કે-“આ પુરોહિત જે કહે છે તે તમે જાણો. તે અવસરે શઠતા પ્રત્યે શઠાચાર બતાવી તેને નિષ્ફર બનાવી અગ્નિ પ્રતિ અગ્નિના જ પેઠે બુદ્ધિવંત પુરુષોએ તેને તિરસ્કાર કરી જીતવો જોઇએ, કારણ કે આવું નિર્નિમિત્ત હાસ્ય સહન કરવું તે અમારા આત્માને ઉચિત નથી. એવો વિચાર કરી મંત્રીએ રાજાને કહ્યું કે-“અંદરનું તત્ત્વ શું છે તે તમો સાંભલો. આ પુરોહિત સત્યવાણીવાળો છતાં મૂળ વાર્તાને જાણતો નથી. રાજાએ કહ્યું કે-ત્યારે તત્ત્વ શું છે તે તું જ છે !' મંત્રીએ કહ્યું કે- ‘પૂર્વે જયારે લોકોને પીડા કરનાર દૈત્યો ઉત્પન્ન થયા ત્યારે તેણે કરેલી પીડાથી સર્વે દેવો ત્રાસ પામ્યા. અને દૈત્યના ભયથકી તેત્રીશ કોડ દેવતાઓ કંપાયમાન થઈ લક્ષ્મી, કૌસ્તુભ, કલ્પવૃક્ષ, ચંદ્રમાં આદિ ચૌદરત્નોને ભયથી સમુદ્રમાં ગુપ્ત રાખ્યાં, દેત્યોના સાથે બળવંત એવા મહાદેવના પુત્ર કાર્તિક સ્વામીએ યુદ્ધ કરી દૈત્યોનો ક્ષય કર્યો. ત્યારબાદ તે રત્નો મેળવવાને માટે સમુદ્ર મંથન કરવાનું વિચારી મેરૂને મંથાનક કર્યો. શેષનાગ નેત્રભૂત થયો. રવૈયો બલિષ્ટાત્મા હિમાચલ થયો. આવી રીતે કરી હર્ષયુક્ત થઈ સર્વ દેવો સમુદ્રનું મંથન કરવા લાગ્યા. આવો મહાઆરંભ દેખીને ઇંદ્ર મહારાજાએ દેવોને કહયું કે-હે દેવો ! આના અંદરથી કદાચ મહાઉત્પત્તિ ઉભો થાય તો તે ઉપદ્રવનો ઘાત કરવાને માટે સમર્થ એવા નેમિશ્વર ભગવાનને અહિયા લાવીને સ્થાપન કરો. દેવોએ પ્રાર્થના કરવાથી નેમનાથ ભગવાન પધાર્યા-કારણ કે મહાબુદ્ધિમાન પુરૂષો દાક્ષિણ્યતા વાળા હોય છે. હવે એકાકી ભગવાન શોભશે નહિ. એવું જાણી ભગવાનના પાસે ૭૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy