SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અરિહંતના ગુણ ગાનાર સુબુદ્ધિ મંત્રી થા અરિહંતના ગુણ ભાગ્યશાળી ગાય છે. જુઓ, અરિહંત, જિનચૈત્ય,શ્રી સંઘ અને ધર્માચાર્યાદિકના સદ્ગુર્ણન કરવાથી જીવ સુલભ બોધિ થાય છે. અને અવર્ણવાદ બોલવાથી દુર્લભ બોધિ થાય છે, માટે સુજ્ઞ જીવોએ ઉપરોકત તમામના ગુણગ્રામ કરી, સમ્યકત્વને નિર્મલ કરી, ભવનો અંતકરવા ચૂકવું નહિ અરિહંત દેવના ગુણગ્રામનું કીર્તન કરનાર સુબુદ્ધિ મંત્રીનું ઉદાહરણ નીચે પ્રમાણે છે. કાશીમાં ક્રેષિયોના મુખ કમલોની પંક્તિને શાન્ત કરનાર અને શત્રુઓને દાસ બનાવનાર વિજયી જય નામનો રાજા હતો. તેને બળદ જેમ ભાર અને ગાડાને વહન કરે તે પ્રકારે બંને બાજુથી સબુદ્ધિને ધારણ કરનાર અને રાજ્ય ભારને વહન કરનાર વિશ્વવત્સલ સુબુદ્ધિ નામનો મંત્રી હતો. તે સર્વજ્ઞની આજ્ઞામાં લીન હતો. અને સદ્ગુરૂની ભક્તિ કરવામાં તત્પર હતો તેમજ શ્રી જૈન મત સંબંધી કમળને વિષે તેની બુદ્ધિ રૂપી ભમરી વિશેષપણાથી લીનપણાને પામી હતી. ગુણોને ધારણ કરનાર ગુરૂઓના તેમજ વીતરાગ મહારાજના ગુણગ્રામ કરી તેણે પોતાનું સમ્યકત્વ અત્યંત નિર્મલ કર્યું હતું. રાજાને દેવ-પૂજાદિક કર્મ કરવામાં આદરવાળો અને શિવને માનનારો સોમશર્મા નામનો પુરોહિત હતો. સૂર્ય-ચંદ્રમાનો પ્રકાશ વિદ્યમાન છતાં પણ તેના હૃદયરૂપ ઘરને વિષે પાર ન પામી શકાય. એવો મિથ્યાત્વ રૂપી ગાઢ અંધકાર ચોતરફ વ્યાપી રહેલો હતો. અન્યદા પ્રસ્તાવે રાજા સભા ભરીને બેઠો છે તે વખતે અરિહંત પરમાત્માના દ્વેષી તે પુરોહિતે રાજાને કહ્યું કે-હે સ્વામિન્ ! તમે કાંઈ જાણ્યું ! રાજાએ કહ્યું કે-શું જાણવાનું હતું ? પુરોહિત બોલ્યો કેવાણિયાના દેવો પ્રથમ મસ્તકના ઉપર પાણીને વહન કરતા હતા,' Jain Education International 90 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy