SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેમાં શું આશ્ચર્ય છે, બસ કાંઈ જ નહિ. તે માટે જૈન બાંધવ ! અજ્ઞાન દશાને અશ્રદ્ધાને છોડી ઉત્તમોત્તમ પ્રકારના પદાર્થો ને ઉત્તમોત્તમ પુષ્પો વડે કરી પરમાત્માનું પૂજન કરી ઉત્તમોત્તમ ગતિ મેળવવા ઉજમાળ થા, જૈન શાસ્ત્રને વિષે પરમાત્માની પૂજાના ફલના દૃષ્ટાંતોનો પાર નથી, કેટલાં લખવાં તને કંટાળો આવશે. માટે જ થોડામાં વિશેષ સમજી પરમાત્માનું પૂજન એકાગ્રતાથી કરી શીવ્રતાથી મુક્તિ મેળવ. ( પાંચ પ્રકારની જિનેશ્વર ભક્તિ ) पुष्पाघर्चा १, तदाज्ञा च२, तद्रव्यपरिरक्षणम् । ३, उत्सवा ४, स्तीर्थ यात्रा ६, च भक्तिं पंचविधाजिने ॥१॥ ભાવાર્થ : પરમાત્માની પુષ્પાદિક વડે કરીને પૂજા કરવી ૧, તથા પરમાત્માની આજ્ઞાનું પ્રતિપાલન કરવું ૨, તથા દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ૩, તથા જૈન મંદિરને વિષે ઉત્સવ કરવો જ તથા તીર્થયાત્રા કરવી પાંચ પ્રકારે જિનેશ્વર મહારાજાની ભક્તિ કહેલી છે. बहुवर्ति समायुक्तं, ज्वलंतं श्रीजिनाग्रत : । कुर्यादारात्रिकं यस्तु, कल्पकोटि दिवं वसेत् धूपो दहति पापानि, दीपो मृत्युविनाशकः । नैवेद्यैविपुलं राज्यं प्रदक्षिणा शिवप्रदा ॥२॥ રૂતિ ઉપદેશસારવૃત્ત. ભાવાર્થ : જે માણસ ઘણી વાટવડે કરી યુક્ત અને જવાજલ્યમાન આરતિને શ્રી જિનેશ્વર મહારાજ પાસે કરે છે તે કલ્પ કોટી સુધી સ્વર્ગને વિષે વાસ કરે છે. ૧. ભગવાનની પાસે ધૂપ કરનારો પાપને બાળી નાંખે છે અને દીપક કરવાથી મરણ નાશ કરે છે. નૈવેદ્ય ધારણ કરવાથી નિર્મલ રાજયની પ્રાપ્તિ થાય છે. અને પ્રદક્ષિણા કરવાથી મુક્તિ આપનાર થાય છે. ૨. ( ૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy