SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાર્શ્વનાથ મહારાજનો મંત્ર તેને આપ્યો. તે મંત્રને પોતે બનાવેલ જૈન પ્રાસાદને વિષે સ્થાપન કરેલ પરમાત્માની પ્રતિમાજીના પાસે ઉત્તમ પ્રકારના પૂજન સહિત તેમજ કમલની માલાની પૂજા સહિત સાધ્યો-જાપ કર્યો તેથી ધરણેદ્ર સંતુષ્ટ થયો. ને આવીને વર માગવાનું કહ્યું, ત્યારે શ્રેષ્ઠિએ કહ્યું કે પુષ્પની માળાનું પ્રભુને પૂજન કર્યું ને જેટલું પુન્ય ઉપાર્જન કર્યું તેટલું દ્રવ્ય આપો. ધરણેદ્રે કહ્યું કે તેટલું પુન્યચોસઠ ઈંદ્રો ભેગા થાયતો પણ આપવા શક્તિવંત નથી.જે માટે શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું છે કે સાગરોપમના આયુષ્યવાળો તથા શાસ્ત્રમાં પ્રવિણ તેમજ શરીરે સર્વથાનિરોગી હોય અને મુખને વિષે હજાર જીભ હોય પણ પરમાત્માના પૂજનના ફલનું વર્ણન કરવા તે માણસ સમર્થ થતો નથી. ત્યારે શ્રેષ્ઠિએ કહ્યું કે એક પુષ્પનું દ્રવ્ય આપોધરણેન્દ્રે ના પાડી તે પણ શક્તિ નથી. ત્યારે વળી શેઠે કહ્યું કે એક પત્રનું ફલ આપો તે પણ ના પાડી એટલે શ્રેષ્ઠિએ કહ્યું કે આપઆપના સ્થાનકે પધારો તેથી ધરણેન્દ્રે કહ્યું કે દિવસને વિષે વીજલી થાય તે અમોઘ છે એટલે જરૂર વરસાદ પડે તેમજ દેવનું દર્શન પણ અમોઘ છે, કદાપિ નિષ્ફળ થાય જ નહિ એમ કહી કહ્યું કે તાહારા ઘરના ચારે ખૂણાને વિષે રત્નથી ભરપૂર ભરેલો કલશોને સ્થાપના કરી જાઉં છું. એમ કહી અંતર્ધ્યાન થયા. ત્યારબાદ પોતાના નાસ્તિક પુત્રોને પુણ્યનું ફલ દેખાડી રત્નના કલશો પ્રગટ કરી ધર્મિષ્ઠ બનાવ્યા પોતાનું કુટુંબ પણ ધર્મિષ્ઠ બનાવી સુખ ભોગી થઈ એકાગ્રતાથી પરમાત્માનું પૂજન કરી શ્રેષ્ઠિ સદ્ગતિનો ભોકતા થયો. સુજ્ઞ વાચંક ! બલીહારી છે પરમાત્માના પૂજકને ચોસઠ ઈંદ્રો પણ એક પુષ્પની માળા, એક પુષ્પ અને એક પત્રના ફળને પણ આપવા શક્તિમાન નથી એટલું બધું પુન્ય કર્મ થાય છે ત્યારે પ્રતિદિન ભાવ સહિત પરમાત્માનું પૂજન કરનારનો બેડોપાર થઈ શીવ્રતાથી મુક્તિ મળે Jain Education International ૬૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy