SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દુઃખમાં જ રહ્યો છે, માટે હજી પણ તાહરે ઉત્તમ સુખ મેળવવું હોય તો પરમાત્માની પૂજા કરી સદ્ગતિ મેળવ. આવી રીતે ભીલને કહી પરમાત્માની પૂજામાં દઢ કર્યો અને તે કુમારી રાજયસુખનો અનુભવ કરી સ્વર્ગે ગઈ. અનુક્રમે મોક્ષે જશે. એ પણ એક વાત આશ્ચર્યની છે કે, વગડાને વિષે રહેનાર ભીલડીને મુનિનો ઉપદેશ જલ્દી લાગ્યો ને તે સુખી થઈ ત્યારે ચાલતા જમાનામાં કેટલાયક આળસુ પ્રમાદી જીવોને શહેર નગર ગામને વિષે વારંવાર પૂજા કરવાનો ઉપદેશ આપે છે છતાં લવલેશ માત્ર બોધ લાગતો નથી આવાં ભીલ ભીલડીના દ્રષ્ટાંતને વાંચી મનન કરી પોતાના કદાગ્રહ હઠવાદાદિનો ત્યાગ કરી વીતરાગ મહારાજાના વચનનું પ્રતિપાલન કરી પરમાત્માનું પૂજન કરવામાં કટિબદ્ધ થવું જોઇએ. CT ધનસારનું દૃષ્ટાંત TO કુસુમપુર નગરને વિષે ધનસાર નામનો શ્રેષ્ઠિ વસતો હતો. અને તે નિરંતર ત્રિકાલ પ્રભુપૂજામાં તત્પર રહી પુન્ય કર્મની વૃદ્ધિ કરતો હતો તેમણે ન્યાય વડે કરી ઉપાર્જન કરેલા પોતાના પૈસાથી જૈન પ્રાસાદ કરાવ્યો અને અંદર મનોહર પરમાત્માની મૂર્તિ સ્થાપન કરી તે પાપ કર્મના ઉદયથી તેમના પુત્રોને રૂચતું નહોતું. હવે અભાગ્યના ઉદયથી શ્રેષ્ઠિ નિધન થયો તેથી પુન્ય હીન છોકરા કહેવા લાગ્યા કે જૈન મંદિર કરાવ્યું તેથી જ નિધન તું થયો છે, આવી રીતે છોકરાઓએ કહ્યા છતાં પણ લક્ષ્મીના અભાવે શ્રેષ્ઠિ થોડું થોડું પુન્ય કરવા લાગ્યો. એકાદ ગુરૂ મહારાજે પુછ્યું કે તને સુખ છે, ત્યારે તેણે કહ્યું કે સંતોષ સુખ છે પણ લોકોને વિષે ધર્મની હિલના થાય છે કે જૈન મંદિર કરાવ્યું તેથી નિધન થયો. મને પૈસાની ઇચ્છા નથી પણ ધર્મનો ઉદ્દાહ થતો બંધ થાય તેવી ઇચ્છા છે. આવી રીતે શ્રવણ કરવાથી ગુરૂ મહારાજે મહામંત્રાધિરાજ ભાગ-૧ ફર્મા-૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy