SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પરમાત્માનું વિશેષ પૂજન કરી તે દેવલોકમાં ગયો. અનુક્રમે મુક્તિના સુખને પામશે. હલકી જાતના એક ગોવાળીયાએ પરમાત્માની પૂજા કર્યા સિવાય ભોજન કરવું નહિ, આવો નિયમ ગ્રહણ કરી માવજજીવ સુધી નિયમ પાળ્યો, ત્યારે જૈન વર્ગને તો વિશેષ કરી પરમાત્માના પૂજનમાં રક્ત રહી આળસ પ્રમાદનો ત્યાગ કરી સંસાર સ્વલ્પ કરવાને માટે તત્પર રહેવું જોઇએ. ( ભીલ-ભીલડીનું ટાંત ) એક પર્વતને વિષે એક ભીલ ભીલડી વસતાં હતાં. કર્મયોગે ત્યાં મુનિ મહારાજનું આગમન થયું. તેમણે બન્નેને પાસે પરમાત્માના પૂજનનું ફળ કહ્યું. હળવા કર્મી હોવાથી જલ્દી તે ઉપદેશ ભીલડીને રૂચ્યો અને ભીલડીએ પૂજા કરવાનો નિયમ લીધો. હવે ત્યાં વનને વિષે શ્રી આદિનાથ મહારાજનું દેવળ હતું, તેના અંદર જઈ ભીલડી નિરંતર વનનાં પુષ્પો અને પત્રો વડે કરી પરમાત્માનું પૂજન કરવા લાગી. તેને પૂજા કરતી જોઈ ભીલ કહે છે, આ તો વાણિયાના દેવ છે, માટેનું પૂજા ન કર. તેમ વારંવાર નિષેધ કરવા માંડયો પણ ભીલડીએ ભીલના વચનને સાંભળ્યું જ નહિ, પરમાત્માના પૂજનને કરતી કેટલાયેક દિવસે ભીલડી મરીને રાજાની પુત્રી થઈ અનુક્રમે યૌવન અવસ્થા પામી. એક દિવસે તે રાજકુમારી મહેલના ઝરૂખામાં બેઠી હતી, તેવામાં નીચે પોતાના પૂર્વ ભવના સ્વામી ભીલડાને દેખી જાતિસ્મરણ પામી ને ભીલને બોલાવીને કહ્યું કે, તું મને ઓળખે છે? ભીલે કહ્યું કે, તું રાજાની પુત્રી છે, એટલું તને કોણ ઓળખતું નથી? સર્વ જનસમુદાય તને પીછાણે છે. કુમારીએ કહ્યું કે, એમ નહિ હું પૂર્વ ભવમાં તાહરી સ્ત્રી હતી પરમાત્માનું પૂજન કરવાથી રાજાની પુત્રી થઈ અને તું મને પૂજા કરવાને નિષેધ કરતો હતો તે અત્યાર સુધી આવા ભીલના નીચ વેષ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy