SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : પ્રાતઃકાલને વિષે જિનેશ્વર મહારાજની પૂજા કરવાથી રાત્રિને વિષે ઉત્પન્ન થયેલું પાપકર્મ નાશ પામે છે. તથા મધ્યાન્હ પૂજા કરવાથી આ જન્મ પર્યત કરેલા પાપકર્મ નાશ પામે છે તથા સાયંકાલે પૂજા કરવાથી સાત જન્મને વિષે કરેલાં પાપ કર્મનાશ પામે છે. પ્રભાતે વાસક્ષેપ પૂજા ૧. મધ્યાન્હ કેશર બરાસ, ધુપ, દીપ, નૈવેદ્ય, અક્ષત વિગેરે વડે પૂજા ૨. તથા સાયંકાલે ધૂપ દીપ-આરતી પુજા ૩. આવી રીતે ત્રિસંધ્ય પુજા કરવાથી મનુષ્યો ઘણાં પાપકર્મને ક્ષીણ કરે છે. પુજા ઉપર દૃષ્ટાંતો” : - ધનપાલનું દૃષ્ટાંત ) ભોજ રાજાની સભાને વિષે વસનારા પાંચસો પંડિતોનો શિરોમણિ ધનપાલ મહાન પંડિત હતો.પોતાના બંધુ શોભનમુનિએ જૈની દીક્ષા લીધા પછી જૈન મુનિઓના ઉપર વૈર થવાથી ભોજરાજાનો માનીતો હોવાથી માળવા દેશમાં જૈનમુનિના પ્રવેશને પણ બંધ કરાવ્યો ત્યારબાદ શોભનમુનિને અન્ય સાધુઓએ કથન કરવાથી શોભનમુનિએ જઇને પોતાના બંધુ ધનપાળ પંડિતને બોધ કરવાથી મિથ્યાત્વને છોડી તે શુદ્ધ જૈનધર્મનો આરાધક થયો અને મન વચન કાયાથી જૈન ધર્મનું સેવન કરી દેવગુરૂ ધર્મનું આરાધન કરવા લાગ્યો. હવે જયારથી ધનપાલ પંડિતનું મિથ્યાત્વ ગયું, ત્યારથી તે પરમાત્માના પૂજનમાં વિશેષ ટાઈમ વ્યતીત કરવાથી અને ભોજ રાજાની સભામાં પોતાની હાજરી થોડી આપવાથી ભોજ રાજાએ પ્રશ્ન કર્યો કે હે પંડિત શિરોમણી ! તમે મારી સભામાં આવવાનું ઓછું કેમ કરી નાખ્યું? એટલે ધનપાળે કહ્યું કે નવીન પ્રભુની સેવા કરવામાં ચિત્ત વ્યગ્ર હોવાથી વિશેષ વાર મહારાથી સભાને વિષે આવી શકાતું નથી. ત્યારે રાજાએ કહ્યું કે, મારાથી પણ બીજો કોઈ અન્ય પ્રભુ વળી છે કે ? ધનપાલ પંડિતે કહ્યું કે હા સાંભળો-પ્રથમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy