SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સ્ત્રીયોને માતા બેન પુત્રીપણે ગણવી. ૧૨. સ્ત્રીયો પૂજા કરતી હોય તો તેના ટોળામાં નહિ ઘુસી જતાં દૂર ઉભા રહેવું તથા સ્ત્રીયો પૂજા કરીને ગમન કરે ત્યારબાદ પૂજા કરવી કારણ કે સ્ત્રી મંડળમાં પ્રવેશ કરવાથી સ્ત્રીના અંગોપાંગોને પુરુષોનો સંઘટ્ટ થવાથી કોઈક કમનશીબ જીવોના પ્રભાવ મલીન થઈ જાય છે અને તેથી કરી મહા ચીકણાં કર્મ બાંધવા માટે તે સમર્થમાન થાય છે માટે ડાહ્યા તેમજ વિવેકી બંધુઓએ સ્થિરતા કરી શાંત વૃત્તિ રાખી સ્ત્રીયોએ પૂજા કર્યા બાદ પૂજા કરવી શ્રેયસ્કર છે. ૧૩. ધૂપ દીપ કરતી વખતે પણ મર્યાદા સહિત સાવચેતી રાખવી અને ચામર વીંજતી વેળાયે પણ પરમાત્માને ચામરના વાળ સ્પર્શ ન કરે તેવી રીતે વીંજવા. ૧૪. સ્નાન કરતી વખતે પરમાત્માના કોઈપણ બિંબોને ઠપકો લાગે નહિ તથા આશાતના થાય નહિ તેવી રીતે વર્તવું. વાલાકુંચી તથા અંગલુછણાં ઉપયોગપૂર્વક કરવાં ૧૫. શાંતચિત્ત રાખી ઉત્કૃષ્ટ પરિણામ ધારણ કરી દેરાસરજીના તમામ ઉપકરણોની સાર સંભાળ કરી વિધિ તથા વિવેક સહિત ઉત્તમ ભાવના ભાવતાં અને પરમાત્માની પુજાને કરી કષાયોને દૂર કરી સમાન શુદ્ધ વાસના ધારણ કરી વૈરાગ્ય યુક્ત થઈ પરમાત્માના ગુણગ્રામ કરતા છતા જૈન મંદિરોમાંથી પાછું ફરવું તેજ ભવ્યજીવોના ભયને દૂર કરી પરમપદ આપનાર છે. કિંબહુના ! પરમાત્માની ત્રિકાલ પુજા કરવાથી ઘણા ભવોનાં કરેલાં પાપકર્મ જે તે વિનાશ ભાવને પામે છે. કહ્યું છે કે – यतः जिनस्य पूजनं हन्ति, प्रातः पापं निशाभवम् । आजन्मविहितं मध्ये सातजन्मकृतं निशि ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy