SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવું નહિ. કારણ કે તેમ કરવાથી મહાપાપ કર્મ લાગે છે અને કેશર થોડું જ બાકી રહેવાથી કેટલાક લોકો પૂજા કરતા અટકી પડે છે અને તેથી તે પાપના ભાગીદાર બેદરકારપણે કેશર વાપરનારાઓ થાય છે. ૮. કેશર બરાસ ધૂપ રકાબી વાટકી કલશ તથા કામલી તેમજ પૂજાના વસ્ત્રની જોડપણ પોતાના ઘરનાં રાખવાં શ્રેયસ્કર છે. બંધુઓ વિચાર કરો કે સંસાર માર્ગમાં બાર માસને વિષે કોઈના પાંચસો કોઈનો હજાર કોઈના બે હજાર અને કોઈના પાંચ હજાર કોઈના તેથી વિશેષ પણ ખર્ચ થાય છે તેનો કેવલ પાપનો પૈસો પાપ માર્ગમાં જ જાય છે અને તેથીદુનિયાના દિવના લોકો દેખતે દીવે કેવળ ભવ કુપમાં જ પડે છે, અસ્તુ તો પણ વિચાર કરે તો લાભપ્રદ છે. વ્યવહાર માર્ગના રૂપિયા પાપમાં જાય છે તે જો પૂજાના ઉપકરણોની જુજ રકમો ઉપર પ્રમાણે ઘરની રાખવામાં આવે તો લાભ ઘણો જ થાય છે ને સંસારના લાંબા ખર્ચમાં ધાર્મિક કર્તવ્યો કરવા માટે જુજ ખર્ચ હોય છે માટે પૂજાનાં ઉપકરણો ઘરનાં રાખી તમારા જૈનપણાને શોભાવા સમર્થમાન થાઓ. ૯. પૂજા કરતી વેળાયે પરમાત્માની આશાતના ન થાય તેવી રીતે મર્યાદા પૂર્વક બેસવું ઉભા રહેવું, ચૈત્યવંદન કરવું તથા કાઉસગ્ગ વિગેરે કરવા. ૧૦. દહેરાસરજીને વિષે પ્રવેશ કર્યા બાદ કોઈની સાથે લડાઈ ટંટો કરવો નહિ. ગાળો દેવી તેમજ ખાવી પણ નહિ તથા ક્ષમા રાખી કષાયોનો ત્યાગ કરવા. ૧૧. કોઈપણ સ્ત્રી નાની મોટી આવેલી હોય તેના સન્મુખ તેમજ શરીર તરફ જોવું નહિ કારણ કે તેમ કરવાથી ચપલ ચિત્ત જો તેમના પ્રત્યે ગમન કરે છે તો મહા અનર્થ થાય છે. અને આત્મા એકાંત રીતે પાપનો ભોકતા થાય છે માટે કોઈપણ સ્ત્રીના સન્મુખ દષ્ટિ નહિ દેતાં તમામ ૬૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy